April 29, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપી

આજે દમણમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ભવ્‍ય રોડ શોઃ દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી ઉમટનારી હજારોની જનમેદની

દમણમાં ઉત્‍સવનો માહોલ : પ્રધાનમંત્રીના પસાર થનારા કાફલાના માર્ગને નવોઢાની જેમ શણગારાયા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: આવતી કાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી વાપી-વલસાડ ખાતે રોડ શો અને ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે ત્‍યારે તેઓ દિલ્‍હીથી સીધા દમણ કોસ્‍ટગાર્ડના એરપોર્ટ ઉપર આવતી કાલે સાંજે લગભગ 5:30 કલાકે ઉતરાણ કરશે.
દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો કાફલો રોડ માર્ગે જવાનો હોવાથી તેમને આવકારવા માટે સમગ્ર દમણ થનગની રહ્યું છે. આવતી કાલે દમણ એરપોર્ટથી દાભેલ ચેકપોસ્‍ટ સુધી વિશાળ રોડ શો દ્વારા પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં આવશે.
દમણમાં યોજાનારો કાર્યક્રમ સંપૂર્ણપણે બિન રાજકીય રહેવાનો છે અને આ રોડ શોમાં પ્રધાનમંત્રીશ્રીને આવકારવા અને તેમની એક ઝલક માણવા હજારો લોકો ઉમટી પડે એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્‍યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી શ્રી જીજ્ઞેશભાઈ પટેલ, શ્રી વિશાલભાઈ ટંડેલસહિતના તમામ નેતાઓ સક્રિય રીતે કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રીશ્રીનો કાફલો દમણ એરપોર્ટથી મશાલ ચોક થઈ ધોબીતળાવ માર્ગે બસ સ્‍ટેન્‍ડના સામેથી રાજીવ ગાંધી સેતૂ નજીકથી ખારીવાડ થઈ વડચોકી અને ડેલ્‍ટીનથી દાભેલ ચેકપોસ્‍ટ જવાનો હોવાથી આ માર્ગને નવોઢાની જેમ શણગારવામાં આવ્‍યા છે. ઠેર ઠેર લાઈટિંગ અને ભાજપના બેનરોથી સમગ્ર પથને ભાજપમય બનાવી દેવાયું છે. દમણનું વાઈબ્રેશન સમસ્‍ત દક્ષિણ ગુજરાતમાં પસાર થતું હોવાથી ચૂંટણી પહેલાં આ એક બહુ મોટો રાજકીય દાવ પણ સાબિત થનારો છે.

Related posts

ફોટોસ્‍ટોરી

vartmanpravah

આકરા ઉનાળા વચ્‍ચે વાપી સહિત વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ : કેરી પાક ઉપર આડ અસર થશે

vartmanpravah

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી વી.આઈ.એ.માં રેન્‍જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ જિલ્લાના કલેક્‍ટર બનતા ભાનુ પ્રભાઃ દાનહના કલેક્‍ટરની જવાબદારી પ્રિયાંક કિશોરના શીરે

vartmanpravah

15થી 18 વર્ષના યુવાનો માટે કોવિડ-19 રસીકરણ અભિયાનમાં લક્ષદ્વીપના કવરત્તી ખાતે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સ્‍વયં ઉપસ્‍થિત રહી જોમ અને જુસ્‍સાનો કરેલો સંચાર

vartmanpravah

Leave a Comment