(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણના ખારીવાડ ખાતે ગોકુલધામ સોસાયટી પાસે હત્યા કરાયેલી એક અજાણ્યા ઈસમની લાશ મળતાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મૃતકની ઓળખ પિયુશ હરેશ કૃપલાની (ઉ.વ.32) મૂળ રહે. ઉલ્લાસનગર ઠાણે, મહારાષ્ટ્રના હોવાની ઓળખ થઈ છે અને મૃતક પોતાનામિત્રને ત્યાં દમણ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મૃતકનું મોત માથા અને શરીરના અન્ય ભાગોમાં બોથડ પદાર્થથી મારવાથી થયું છે. આ સંદર્ભમાં દમણ પોલીસે આઈપીસીની 302 કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.