(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28: ગઈકાલે સુરત ખાતે યોજાયેલ વિજય સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જોડે સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ (વાળાંક)ના વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવે મુલાકાત લઈ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો ભરોસો આપ્યો હતો.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના વડી જ્ઞાતિના પ્રમુખ શ્રી નંદલાલભાઈ કાળાભાઈ પાંડવનું અભિવાદન સ્વીકાર કર્યું હતું અને ગુજરાતના શ્રેષ્ઠ વિકાસ માટે ભાજપ સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોવાનો વિશ્વાસ પણ અરસ-પરસ પ્રગટ થયો હતો.