Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્‍ત થયેલા રસ્‍તાઓના રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 50થી વધારે રસ્‍તાઓ મોટરેબલ કરાયા: તીથલ વલસાડ ધરમપુર સ્‍ટેટ હાઈવે રોડની મરામત કામગીરી કરાઈ

જિલ્લાના 40 ગામોને જોડતો ગુંદલાવ – ખેરગામ રોડ અને
ઔરંગા બ્રીજની મરામત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: સમગ્ર રાજ્‍ય સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદની સ્‍થિતિ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ/રસ્‍તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્‍તાઓને થયેલ નુકસાનને લીધે જાહેર નાગરિકોને મુશ્‍કેલી ભોગવવી ના પડે તે માટે સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસારરિપેરિંગની કામગીરી તાત્‍કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્‍ત થયેલા તમામ નાના-મોટા રોડ, રસ્‍તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદીમાં પૂર આવવાના કારણે વલસાડ જિલ્લાના 40 ગામોને જોડતો ઔરંગા કૈલાશધામ પુલ પરથી પાણી ફરી વળતા બિસ્‍માર થયેલ પુલને અને રસ્‍તાને તેમજ તીથલ વલસાડ ધરમપુર સ્‍ટેટ હાઈવે રોડ પણ ખરાબ થતાં તેની પણ સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી. જિલ્લાના તમામ સ્‍ટેટ હાઈવેની મરામત કરી દેવામાં આવતા વાહન વ્‍યવહારમાં લોકોને સુવિધા ઉભી થઈ. કુલ 57 જેટલા રસ્‍તાઓને અસર થઈ હતી, જેના પગલે યાતાયાતને પણ અસર થવા પામી હતી. વહીવટી તંત્ર દ્વારા આ રસ્‍તાઓને સત્‍વરે મરામત કરી મોટરરેબલ કરવા કામગીરી હાથ ધરાઈ છે. 57 રસ્‍તાઓ પૈકી હાલ 50 માર્ગો પર વાહનવ્‍યવહાર પૂર્વવત્‌ થઈ ગયો છે. આ ઉપરાંત જ્‍યાં પાણી ભરાયા હતા એ પાણી ઓસરતા ક્રમશઃ રિપેરિંગ તથા પેચવર્કની કામગીરી સત્‍વરે હાથ ધરાઈ છે. એમ વલસાડના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જતીનભાઇ પટેલે જણાવ્‍યું છે.

Related posts

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

આજથી મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની મુલાકાતે

vartmanpravah

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

vartmanpravah

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટને એક ઔર વધુ મળેલું દેહ દાન

vartmanpravah

સરકારી અનાજના ગોડાઉન ઉપર અનાજનો જથ્‍થો નહીં આવતા નવસારી જિલ્લામાં હજારો રેશનકાર્ડ ધારકો છેલ્લા પાંચ માસથી તુવેરદાળથી વંચિત

vartmanpravah

Leave a Comment