Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્‍ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિ

શિવસેનાના પ્રદેશ અધ્‍યક્ષ પદેથી અભિનવ ડેલકરની હકાલપટ્ટીની રાષ્‍ટ્રીય નેતા સંજય રાઉતે કરેલી જાહેરાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના રાજ્‍ય પ્રભારી પ્રમુખ પદે શ્રી શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિની જાહેરાત હાઈકમાન્‍ડ દ્વારા કરવામાં આવી છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નાપ્રદેશ અધ્‍યક્ષ રહેલા શ્રી અભિનવ ડેલકરની હકાલપટ્ટી કરાઈ હોવાની જાણકારી શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રવક્‍તા અને રાષ્‍ટ્રીય નેતા શ્રી સંજય રાઉતે આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં વર્ષોથી શિવસેના સાથે જોડાયેલા શ્રી શ્વેતલ ભટ્ટને પ્રદેશ પ્રભારી પ્રમુખ પદે નિયુક્‍ત કરાતા હવે દાદરા નગર હવેલીમાં એકડે એકથી પક્ષના સંગઠનને ગતિશીલ કરવાની જવાબદારી ઉઠાવવી પડશે. શ્રી શ્વેતલ ભટ્ટે પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી ઉદ્ધવ ઠાકરે, પક્ષના રાષ્‍ટ્રીય નેતા શ્રી સંજય રાઉત અને શ્રી આદિત્‍ય ઠાકરેનો આભાર પ્રગટ કરતા જણાવ્‍યું છે કે, તેઓ તેમના પર મુકેલા વિશ્વાસને વફાદારીપૂર્વક સાર્થક કરવા પ્રયાસ કરશે.

Related posts

પારડી ઓવરબ્રિજ પાસેથી રૂા.4,50,000 ના મુદ્દામાલ સાથે દારૂ ઝડપથી પારડી પોલીસ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પોતાની ધર્મપત્‍ની સાથે દમણ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં પ્રત્‍યક્ષ જઈ પોષણ કિટનું કરેલું વિતરણ

vartmanpravah

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

vartmanpravah

દાનહઃ ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત ફલાંડીમાં વિશેષ શિક્ષણ શિબિર યોજાઈ

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ કાર્યક્રમ અંતર્ગત સંપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં કુપોષણની નાબૂદી માટે આરોગ્‍ય સલાહકાર ડૉ. વી.કે.દાસના નેતૃત્‍વમાં યોજાયેલી તાલીમ શિબિર

vartmanpravah

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

Leave a Comment