Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્‍ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિ

શિવસેનાના પ્રદેશ અધ્‍યક્ષ પદેથી અભિનવ ડેલકરની હકાલપટ્ટીની રાષ્‍ટ્રીય નેતા સંજય રાઉતે કરેલી જાહેરાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના રાજ્‍ય પ્રભારી પ્રમુખ પદે શ્રી શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિની જાહેરાત હાઈકમાન્‍ડ દ્વારા કરવામાં આવી છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નાપ્રદેશ અધ્‍યક્ષ રહેલા શ્રી અભિનવ ડેલકરની હકાલપટ્ટી કરાઈ હોવાની જાણકારી શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રવક્‍તા અને રાષ્‍ટ્રીય નેતા શ્રી સંજય રાઉતે આપી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં વર્ષોથી શિવસેના સાથે જોડાયેલા શ્રી શ્વેતલ ભટ્ટને પ્રદેશ પ્રભારી પ્રમુખ પદે નિયુક્‍ત કરાતા હવે દાદરા નગર હવેલીમાં એકડે એકથી પક્ષના સંગઠનને ગતિશીલ કરવાની જવાબદારી ઉઠાવવી પડશે. શ્રી શ્વેતલ ભટ્ટે પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી ઉદ્ધવ ઠાકરે, પક્ષના રાષ્‍ટ્રીય નેતા શ્રી સંજય રાઉત અને શ્રી આદિત્‍ય ઠાકરેનો આભાર પ્રગટ કરતા જણાવ્‍યું છે કે, તેઓ તેમના પર મુકેલા વિશ્વાસને વફાદારીપૂર્વક સાર્થક કરવા પ્રયાસ કરશે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન મિશન મોડમાં: નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ના વેલનેસ સેન્‍ટરની લીધેલી મુલાકાત

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવમાં સૌપ્રથમ વખત રાષ્‍ટ્રીય સ્‍તરના બીચ રમતોત્‍સવનું આયોજન

vartmanpravah

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

વાપી જીઆઈડીસી પોલીસમાં એનડીપીએસ ગુનાનો ફરાર આરોપી 31 વર્ષે ઝડપાયો

vartmanpravah

Leave a Comment