(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.21 : અયોધ્યામાં ઐતિહાસિક શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તીર્થ ક્ષેત્રની સાફ-સફાઈ માટે કરેલી અપીલના અનુસંધાનમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દમણના શ્રી સોમનાથ મંદિરમાં સ્વચ્છ તીર્થઅભિયાન અંતર્ગત સફાઈ કરી લોકોમાં એક ઉદાહરણ પુરૂં પાડયું હતું. આ પ્રસંગે પ્રશાસકશ્રીએ વૃક્ષારોપણ અને ગાય માતાને ચારો ખવડાવી તેમના આશીર્વાદ પણ લીધા હતા.