Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાઃ વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને સંપન્ન થયેલી શ્રીફળ વિધિ

દમણના આગેવાન હરિશભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલના યજમાન પદે થનારી ભાગવત કથા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12: શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાના ઉપલક્ષમાં આજે ખેરગામ ખાતે વિશ્વપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને જઈ સમાજના આગેવાનોએ શ્રીફળ વિધિ સંપન્ન કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા દિવંગત વડીલો તથા દિવંગત આગેવાનોની પાવન યાદમાં તેમના મોક્ષાર્થે યોજાનારી ભાગવત કથાના મુખ્‍ય યજમાન તરીકે દમણ જિલ્લાના આગેવાન શ્રી હરિશભાઈ પટેલ અને શ્રી પિયુષભાઈ પટેલે કથાના શ્રીફળ વિધિનો સ્‍વીકાર કર્યો હતો.
ભાગવત કથાના આયોજન માટે ખેરગામના વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને જનારા મહાનુભાવોમાં શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્‍ટી શ્રી જયંતિભાઈ પટેલ, ટ્રસ્‍ટી શ્રી ચીમનભાઈ પટેલ, ટ્રસ્‍ટી શ્રી ઈશ્વરભાઈ પટેલ, કોળી પટેલ સમાજના ઉપ પ્રમુખ શ્રી ઉમેશ પટેલ, શ્રીમતી શીતલબેન જગદીશભાઈ પટેલ, શ્રી ઉપેન્‍દ્રભાઈ પટેલ, શ્રી મયંક પટેલ, શ્રી હર્ષલ પટેલ, શ્રી સુભાષ પટેલ, શ્રી શીતલભાઈપટેલ, શ્રી અશોક પટેલ, શ્રી પિન્‍ટુ પટેલ, શ્રી મુકેશ પટેલ વગેરેનો સમાવેશ થતો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આદેશથી દમણ જિલ્લામાં રોજગાર મેળાના આયોજન માટે જિલ્લા પ્રશાસને શરૂ કરેલી તૈયારી

vartmanpravah

ચીખલીના ચીમલા ગામે જેસપોરના જમીન દલાલને માર મારી ધમકી આપનારાઓને પોલીસે વરઘોડો કાઢી હાઈવે બ્રિજ નીચે કરાવેલી ઉઠક-બેઠક

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો ચૂંટણી રોડ શો યોજાયો

vartmanpravah

દમણની 4 દિકરીઓએ કઠોર તાલીમ બાદ આરંગેત્રમની કરેલી પ્રસ્‍તુતિ

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલનો નવતર અભિગમઃ ગ્રામ્‍ય વિસ્‍તારોની સમસ્‍યા જાણવા સરપંચો અને જિ.પં. સભ્‍યો સાથે કરેલી બેઠક

vartmanpravah

છેલ્લા 10 વર્ષથી ચાણોદ અંબે માતા મંદિરે નવરાત્રીમાં નવમાં નોરતે આરતી અને 11 કુવારીકાઓને ભોજન કરાવતા ગોયેલ દંપતિ

vartmanpravah

Leave a Comment