April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાઃ વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને સંપન્ન થયેલી શ્રીફળ વિધિ

દમણના આગેવાન હરિશભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલના યજમાન પદે થનારી ભાગવત કથા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12: શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા યોજાનારી ભાગવત કથાના ઉપલક્ષમાં આજે ખેરગામ ખાતે વિશ્વપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને જઈ સમાજના આગેવાનોએ શ્રીફળ વિધિ સંપન્ન કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા દિવંગત વડીલો તથા દિવંગત આગેવાનોની પાવન યાદમાં તેમના મોક્ષાર્થે યોજાનારી ભાગવત કથાના મુખ્‍ય યજમાન તરીકે દમણ જિલ્લાના આગેવાન શ્રી હરિશભાઈ પટેલ અને શ્રી પિયુષભાઈ પટેલે કથાના શ્રીફળ વિધિનો સ્‍વીકાર કર્યો હતો.
ભાગવત કથાના આયોજન માટે ખેરગામના વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી મેહુલભાઈ જાનીના નિવાસ સ્‍થાને જનારા મહાનુભાવોમાં શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના ટ્રસ્‍ટી શ્રી જયંતિભાઈ પટેલ, ટ્રસ્‍ટી શ્રી ચીમનભાઈ પટેલ, ટ્રસ્‍ટી શ્રી ઈશ્વરભાઈ પટેલ, કોળી પટેલ સમાજના ઉપ પ્રમુખ શ્રી ઉમેશ પટેલ, શ્રીમતી શીતલબેન જગદીશભાઈ પટેલ, શ્રી ઉપેન્‍દ્રભાઈ પટેલ, શ્રી મયંક પટેલ, શ્રી હર્ષલ પટેલ, શ્રી સુભાષ પટેલ, શ્રી શીતલભાઈપટેલ, શ્રી અશોક પટેલ, શ્રી પિન્‍ટુ પટેલ, શ્રી મુકેશ પટેલ વગેરેનો સમાવેશ થતો હતો.

Related posts

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવમાં ‘વર્લ્‍ડ હીપેટાઈટિસ ડે-2022’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ શહેરની આસપાસ આવેલ ગ્રામપંચાયતોમાં ટૂટેલા રસ્‍તાઓ તાત્‍કાલિક બનાવવા ડીડીઓને રજુઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારની બહેનોનેઆત્મનિર્ભર બનાવવા શરૂ કરેલા અભિયાનથી સંઘપ્રદેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‘ગ્રામ સ્વરાજ્ય’ની વિચારધારા ઉપર પ્રશાસનની મહોર

vartmanpravah

પારસીઓના કાશી ગણાતા ઉદવાડામાં પારસી સમુદાય દ્વારા નૂતન વર્ષ પતેતીની ઉજવણી કરી

vartmanpravah

કપરાડાની હુડા પ્રાથમિક શાળાથી તિરંગા યાત્રા ગુજરાતની મહારાષ્‍ટ્ર બોર્ડર પર નીકળી

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah

Leave a Comment