(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.21: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ રૂપાલાજી દ્વારા ગુજરાત રાજ્યના દરિયાકાંઠે સાગર પરિક્રમા યાત્રા રાખવામાં આવી છે, જે અનુસંધાને તેઓ તા.23/09/2022 ને શુક્રવારના રોજ દીવના પ્રવાસે આવી રહ્યા છે, જેનાં ભાગ રૂપે દીવ કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ ફવારમેન બ્રહ્મા, ડેપ્યુટી કલેક્ટરશ્રી, મિનિસ્ટ્રીમાંથી જોઈન્ટ કમિશ્નરશ્રી, તેમજ દમણ-દીવ ફિશરીશ ફેડરેશનના ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પાંજરી, દીવ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી બિપીનભાઈ શાહ, શ્રી કિર્તીભાઈ ગોહેલ, નગર સેવક શ્રી ચિંતકભાઈ,વનેશ્રીબેન વગેરેએ માછીમાર સાથે કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે ઘોઘલા ખાતે કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી.