October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

નિકુંજ અરવિંદભાઈ પટેલના પોલટ્રી ફાર્મમાં મરેલા મરઘા જોઈ અન્‍ય 260 બોઈલર મરઘા પણ મરણ પામ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ નજીક વેલવાચ ગામે આવેલ એક પોલટ્રી ફાર્મમાં ગતરાત્રે કોઈ અજાણ્‍યો ઈસમ દિવાલની ઈંટો તોડી ફાર્મમાં પ્રવેશી 20 જેટલા મરઘાઓનું મારણ કરી ફરાર થઈ ગયો હતો. મરેલા મરઘા જોઈને અન્‍ય 260 બોઈલર મરઘા પણ મરી જતા ફાર્મ માલિકે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વેલવાચ ગામે કુડી ફળીયામાંનિકુંજ અરવિંદભાઈ પટેલનું પોલટ્રી ફાર્મ આવેલ છે. ગતરાત્રે કોઈ ઈસમ ફાર્મના વરંડાની ઈંટો તોડીને અંદર પ્રવેશી 20 જેટલા મરઘાનું મારણ કરી ફરાર થઈ ગયો હતો. વધુ મરઘા કંપનીમાં મોકલી આપેલા હોવાથી નિકુંજભાઈ રાત્રે સુવા આવ્‍યા નહોતા તેની તક ઝડપી ઈસમ મરઘાનું મારણ કરી નાસી ગયો હતો. પરંતુ મરેલા મરઘા જોઈને અન્‍ય 260 જેટલા મરઘા પણ મરણ પામ્‍યા હતા તેથી 50 હજાર જેટલુ નુકશાન થયાની રૂરલ પોલીસમાં નિકુંજ પટેલે ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લોરામ નવમીએ રામ મય બન્‍યો

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટના કારણે ચોમાસામાં ઘરોમાં પાણી ભરાવાની સમસ્‍યાના નિવારણ માટે ચીખલીના ઘેકટી ગામના રહિશો દ્વારા પ્રાંત અધિકારીને કરાયેલી લેખિત રજૂઆત 

vartmanpravah

એસ.ટી. વિભાગીય કચેરી વલસાડ ખાતેથી માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે ઓનલાઈન સેમિનાર યોજાયો

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારીમાં હવે ફરી સંભળાશે સિંહ-સિંહણની દહાડઃ 6ઠ્ઠી જાન્‍યુ.થી પ્રવાસીઓને મળશે લ્‍હાવો

vartmanpravah

દમણ જિલ્લામાં સર્વેનું કામ કરી રહેલ મેપ માય ઈન્‍ડિયાના કર્મીએ સર્વે અને ઘર નંબર અલગ કરવા રૂા.1000ની કરાયેલી માંગણીના સંદર્ભમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ

vartmanpravah

Leave a Comment