Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

નિકુંજ અરવિંદભાઈ પટેલના પોલટ્રી ફાર્મમાં મરેલા મરઘા જોઈ અન્‍ય 260 બોઈલર મરઘા પણ મરણ પામ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ નજીક વેલવાચ ગામે આવેલ એક પોલટ્રી ફાર્મમાં ગતરાત્રે કોઈ અજાણ્‍યો ઈસમ દિવાલની ઈંટો તોડી ફાર્મમાં પ્રવેશી 20 જેટલા મરઘાઓનું મારણ કરી ફરાર થઈ ગયો હતો. મરેલા મરઘા જોઈને અન્‍ય 260 બોઈલર મરઘા પણ મરી જતા ફાર્મ માલિકે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વેલવાચ ગામે કુડી ફળીયામાંનિકુંજ અરવિંદભાઈ પટેલનું પોલટ્રી ફાર્મ આવેલ છે. ગતરાત્રે કોઈ ઈસમ ફાર્મના વરંડાની ઈંટો તોડીને અંદર પ્રવેશી 20 જેટલા મરઘાનું મારણ કરી ફરાર થઈ ગયો હતો. વધુ મરઘા કંપનીમાં મોકલી આપેલા હોવાથી નિકુંજભાઈ રાત્રે સુવા આવ્‍યા નહોતા તેની તક ઝડપી ઈસમ મરઘાનું મારણ કરી નાસી ગયો હતો. પરંતુ મરેલા મરઘા જોઈને અન્‍ય 260 જેટલા મરઘા પણ મરણ પામ્‍યા હતા તેથી 50 હજાર જેટલુ નુકશાન થયાની રૂરલ પોલીસમાં નિકુંજ પટેલે ફરિયાદ નોંધાવી હતી.

Related posts

સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા

vartmanpravah

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

દમણના પાર્થ જોષીએ ગોવામાં રમાયેલી સ્‍ટેટ બેડમિન્‍ટન રેન્‍કિંગ ટુર્નામેન્‍ટમાં ડબલ્‍સમાં જીતેલો સિલ્‍વર મેડલ

vartmanpravah

આજે મળેલી જિલ્લા ભાજપની બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ફૂટબોલ એસો.ની ટીમ દેશની પ્રતિષ્‍ઠિત ફૂટબોલ ટૂર્નામેન્‍ટ સંતોષ ટ્રોફીમાં ભાગ લેવા કોલ્‍હાપુર રવાના

vartmanpravah

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah

Leave a Comment