Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

નિકુંજ અરવિંદભાઈ પટેલના પોલટ્રી ફાર્મમાં મરેલા મરઘા જોઈ અન્‍ય 260 બોઈલર મરઘા પણ મરણ પામ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ નજીક વેલવાચ ગામે આવેલ એક પોલટ્રી ફાર્મમાં ગતરાત્રે કોઈ અજાણ્‍યો ઈસમ દિવાલની ઈંટો તોડી ફાર્મમાં પ્રવેશી 20 જેટલા મરઘાઓનું મારણ કરી ફરાર થઈ ગયો હતો. મરેલા મરઘા જોઈને અન્‍ય 260 બોઈલર મરઘા પણ મરી જતા ફાર્મ માલિકે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વેલવાચ ગામે કુડી ફળીયામાંનિકુંજ અરવિંદભાઈ પટેલનું પોલટ્રી ફાર્મ આવેલ છે. ગતરાત્રે કોઈ ઈસમ ફાર્મના વરંડાની ઈંટો તોડીને અંદર પ્રવેશી 20 જેટલા મરઘાનું મારણ કરી ફરાર થઈ ગયો હતો. વધુ મરઘા કંપનીમાં મોકલી આપેલા હોવાથી નિકુંજભાઈ રાત્રે સુવા આવ્‍યા નહોતા તેની તક ઝડપી ઈસમ મરઘાનું મારણ કરી નાસી ગયો હતો. પરંતુ મરેલા મરઘા જોઈને અન્‍ય 260 જેટલા મરઘા પણ મરણ પામ્‍યા હતા તેથી 50 હજાર જેટલુ નુકશાન થયાની રૂરલ પોલીસમાં નિકુંજ પટેલે ફરિયાદ નોંધાવી હતી.

Related posts

રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં તૈયાર થયેલ આદ્યુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહના’ અહેવાલની અસર: ચીખલી તાલુકામાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

જિલ્લા પંચાયત અને વેટરનરી વિભાગના સહયોગથી દમણ ન.પા.એ રખડતા ઢોરોને પકડવા હાથ ધરેલા અભિયાનમાં 70 જેટલા પશુઓને પકડી કચીગામ ગૌશાળા ખાતે મોકલાયા

vartmanpravah

શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્‍યતિથિએ ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’ યોજાયો

vartmanpravah

ઉમરગામ સોળસુંબામાં સર્જાયેલી કરુણાંતિકા: ખાળકુવાના સફાઈ માટે ખાડામાં ઉતરેલા ત્રણ વ્‍યક્‍તિમાંથી બે ના મોત

vartmanpravah

હાર્દિક જોશી કરાટે એકેડમીએ વિશેષ યોગ સત્ર સાથે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

vartmanpravah

Leave a Comment