નિકુંજ અરવિંદભાઈ પટેલના પોલટ્રી ફાર્મમાં મરેલા મરઘા જોઈ અન્ય 260 બોઈલર મરઘા પણ મરણ પામ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વલસાડ નજીક વેલવાચ ગામે આવેલ એક પોલટ્રી ફાર્મમાં ગતરાત્રે કોઈ અજાણ્યો ઈસમ દિવાલની ઈંટો તોડી ફાર્મમાં પ્રવેશી 20 જેટલા મરઘાઓનું મારણ કરી ફરાર થઈ ગયો હતો. મરેલા મરઘા જોઈને અન્ય 260 બોઈલર મરઘા પણ મરી જતા ફાર્મ માલિકે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વેલવાચ ગામે કુડી ફળીયામાંનિકુંજ અરવિંદભાઈ પટેલનું પોલટ્રી ફાર્મ આવેલ છે. ગતરાત્રે કોઈ ઈસમ ફાર્મના વરંડાની ઈંટો તોડીને અંદર પ્રવેશી 20 જેટલા મરઘાનું મારણ કરી ફરાર થઈ ગયો હતો. વધુ મરઘા કંપનીમાં મોકલી આપેલા હોવાથી નિકુંજભાઈ રાત્રે સુવા આવ્યા નહોતા તેની તક ઝડપી ઈસમ મરઘાનું મારણ કરી નાસી ગયો હતો. પરંતુ મરેલા મરઘા જોઈને અન્ય 260 જેટલા મરઘા પણ મરણ પામ્યા હતા તેથી 50 હજાર જેટલુ નુકશાન થયાની રૂરલ પોલીસમાં નિકુંજ પટેલે ફરિયાદ નોંધાવી હતી.