(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18 : દાદરા નગર હવેલીના મસાટ ગામે બોરટીયા પાડામા એક ચાલીમા ગેસ સીલીન્ડરની પાઇપ લાઈન લીકેજના કારણે આગ લાગવાની ઘટનામા ત્રણ યુવાનો 80 ટકાથી વધુ દાઝી ગયા હતા જેઓને વિનોબાભાવે સિવિલ હોસ્પીટલમા સારવાર અર્થે દાખલ કર્યા બાદ આ ત્રણે યુવાનોની હાલત ગંભીર હોવાને કારણે મુંબઈની હોસ્પીટલમા સારવાર અર્થે રીફર કરવામા આવ્યા હતા.જ્યા કમલનારાયણ રામગોપાલ પાલ ઉ.વ.22 હાલ રહેવાસી બોરટીયા પાડા,મસાટ મુળ રહેવાસી ભદવાહી,એમ.પી જેનુ સારવાર દરમ્યાન મોત થયુ છે બીજા બે યુવાનો શ્રીરામ સીયારામ બેગાદી ઉ.વ.30 હાલ રહેવાસી મસાટ મુળ રહેવાસી ભળવાહી ઉત્તરપ્રદેશ.અને પિન્ટુ આત્મજન બૈગા ઉ.વ.20 હાલ રહેવાસી મસાટ મુળ રહેવાસી ઉત્તરપ્રદેશ જેઓની હાલત પણ ગંભીર હોવાનુ જાણવા મળેલ છે.