March 2, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસના અટલ ભવન ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો આરંભઃ દાનહના ઊંડાણના આદિવાસી સમુદાય માટે આશીર્વાદરૂપ બનશે

  • પ્રશાસન અને ભારત સરકારની વિવિધ યોજનાઓ માટે જરૂરી ઓનલાઈન અરજી સહિતની પ્રક્રિયા પણ અટલ જન સેવા કેન્‍દ્રમાં પૂર્ણ કરાશે

  • અટલ જન સેવા કેન્‍દ્ર પ્રદેશના નાગરિકો, સંગઠન અને પ્રશાસન વચ્‍ચે એક કડી તરીકે કામ કરશે : પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : આજે પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. અટલ બિહારી વાજપેયીની જન્‍મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસના ઉપક્રમે દાદરા નગરહવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સેલવાસના અટલ ભવન કાર્યાલય ખાતે અટલ જન સેવા કેન્‍દ્રનો શુભારંભ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે કરાવ્‍યો હતો. જેમાં અટલ જન સેવા કેન્‍દ્રના સંયોજક અને પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણ, સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ, પ્રદેશ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી દિપક પ્રધાન સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે અટલ જન સેવા કેન્‍દ્રના આરંભનો હેતુ સમજાવતાં જણાવ્‍યું હતું કે, અટલ જન સેવા કેન્‍દ્ર પ્રદેશના નાગરિકો, સંગઠન અને પ્રશાસન વચ્‍ચે એક કડી તરીકે કામ કરશે. આ અટલ જન સેવા કેન્‍દ્રમાં દરેકને સરકારની વિવિધ યોજનાઓની જાણકારી મળશે અને લાભાર્થીઓને તેમને અનુરૂપ યોજનાની ઓનલાઈન નોંધણી માટે પણ આ સેવા કેન્‍દ્ર મદદરૂપ બનશે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે જણાવ્‍યું હતું કે, દેશના લોક લાડીલા સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ ત્‍યારે સેવા હી સંગઠનના મર્મને પણ જમીની સ્‍તરે ઉતારવા જન સેવા કેન્‍દ્ર સહાયરૂપ બનશે. તેમણે જણાવ્‍યું હતું કે, ભાજપ હંમેશા અંત્‍યોદયની વિચારધારાને અનુસરી સમાજની છેલ્લી હરોળમાંછેલ્લા સ્‍થાને બેઠેલી વ્‍યક્‍તિની ચિંતા કરે છે. તેથી હવે અટલ જન સેવા કેન્‍દ્રના માધ્‍યમથી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા ભાજપના કાર્યકરો પણ જોડાશે.
આજે અટલ જન સેવા કેન્‍દ્રના આરંભ સાથે કુલ 55 અરજીઓ આવી હતી. જે પૈકી 44 રોજગાર સંબંધી અને અન્‍ય ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, બેંક ખાતા વગેરે સંબંધિત હતી.
અટલ જન સેવા કેન્‍દ્રના આરંભથી ખાસ કરીને દાદરા નગર હવેલીના ઊંડાણના આદિવાસી સમુદાયને ખુબ લાભ પહોંચશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં આઉટ સોર્સિંગથી ફરજ બજાવનારા આરોગ્‍ય કર્મચારીઓને પણ કોરોના સમયમાં રજાના દિવસોમાં કરેલ કામગીરીનો પગાર ચુકવવા ઉઠેલી માંગ

vartmanpravah

ચીખલી તાલુકામાં રવિવારના રોજ 62 જેટલી ગ્રામ પંચાયતના, 61 સરપંચ અને 1039 વોર્ડ સભ્‍યોનું 1.84 લાખ મતદારો ભાવિ નક્કી કરશે

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં દારૂ-બિયરના પ્રભાવને રોકવા દમણ જિલ્લા પોલીસ સક્રિયઃ દારૂના વિક્રેતાઓ અને ઉત્‍પાદકો સાથે યોજેલી બેઠક

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં માલધારી સમાજ દૂધ વિતરણ કરશે નહી : રાજ્‍ય સ્‍તરે 21 સપ્‍ટેમ્‍બરે દૂધ નહિ વેચવાનો નિર્ણય લેવાયો છે

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં વરસાદમાં નુકસાન થયેલા 14 જેટલા માર્ગોની માર્ગ મકાન વિભાગ દ્વારા મરામત હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment