January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : આજે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નંબર 6માં શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન જોષીની અધ્‍યક્ષતામાં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર ભાજપ મંડળના તમામ કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના નાગરિકોએ સ્‍વ. અટલજીના તસવીર ઉપર પુષ્‍પ ચડાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે શહેર મહામંત્રી શ્રી બાબુ સિંહ રાજપુરોહિત, મંત્રી શ્રી સુજીત ઉપાધ્‍યાય, આઈ.ટી. સેલના સંયોજક શ્રી નિરજ પાંડે, શ્રી ટી.સી. જોષી, શ્રી રસિકલાલ તિવારી, શ્રી ગિરીશ મેનન, શ્રી ધર્મેશ ગજર કિશોર, ગજરે ટીના, ગજર મોહિની રાજપુરોહિત, વીણા રાજપુરોહિત, શ્રી નિમિત્ત જોશી જાનુ રાજપુરોહિત સહિત વોર્ડ નંબર 6ના કાઉન્‍સિલર જસવિંદર કૌર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોના ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના દિવસે એક માત્ર હોન્‍ડ ગ્રામ પંચાયત સમરસ બની

vartmanpravah

વલસાડ કલેક્‍ટર કચેરી ખાતે કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ કમાન્‍ડ અને કંટ્રોલ સેન્‍ટરનું ઉદ્‌ઘાટન કર્યું

vartmanpravah

vartmanpravah

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

ચીખલીના સિયાદા ગામે ‘નલ સે જલ’ યોજના પોકળ સાબિત થતાં આદિવાસીઓ નહેરના પાણી પીવા બન્‍યા મજબૂર

vartmanpravah

વલસાડની પાઠશાળામાં અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા પર્યાવરણ દિન ઉજવાયો

vartmanpravah

Leave a Comment