April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25 : આજે પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નંબર 6માં શહેર ભાજપ પ્રમુખ શ્રી હિરેન જોષીની અધ્‍યક્ષતામાં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શહેર ભાજપ મંડળના તમામ કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના નાગરિકોએ સ્‍વ. અટલજીના તસવીર ઉપર પુષ્‍પ ચડાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે શહેર મહામંત્રી શ્રી બાબુ સિંહ રાજપુરોહિત, મંત્રી શ્રી સુજીત ઉપાધ્‍યાય, આઈ.ટી. સેલના સંયોજક શ્રી નિરજ પાંડે, શ્રી ટી.સી. જોષી, શ્રી રસિકલાલ તિવારી, શ્રી ગિરીશ મેનન, શ્રી ધર્મેશ ગજર કિશોર, ગજરે ટીના, ગજર મોહિની રાજપુરોહિત, વીણા રાજપુરોહિત, શ્રી નિમિત્ત જોશી જાનુ રાજપુરોહિત સહિત વોર્ડ નંબર 6ના કાઉન્‍સિલર જસવિંદર કૌર ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડા ઘાટ ઉપર લક્‍ઝરી બસનું ટાયર ફાટતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો : એકનું મોત, છ ઘાયલ

vartmanpravah

વાપીના 99 ઉદ્યોગપતિઓને ઉદ્યોગમાંથી નિકળતું પાણી સીઈટીપીમાં છોડવા માટે જી.પી.સી.બી.એ પરમીશન આપી

vartmanpravah

દમણ જિલ્લામાં 51 હજાર સભ્‍ય નોંધવાનો ભાજપનો નિર્ધાર

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

vartmanpravah

રોટરી ક્‍લબ દમણ દ્વારા 7 શિક્ષકોને એનાયત કરાયા રાષ્‍ટ્ર નિર્માતા પુરસ્‍કાર

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની કચીગામ ગ્રા.પં.ની ગ્રામસભામાં સીધી વાત દમણના સરપંચો, જિલ્લા પંચાયત કે નગરપાલિકા પાસે કોઈ સત્તા જ નથી તો લોકોના કામ તેઓ કેવી રીતે કરી શકવાના?

vartmanpravah

Leave a Comment