(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: વાપીના રહેવાસી તથા ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમેરિયા કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ વાપીમાં રસાયણશાષા વિભાગના હેડ તથા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કુ.ખુશ્બુ ભરતભાઈ દેસાઈએ “Synthesis of Quinazolinone Based Monoazo Reactive Dyes and Their Dyeing Performance on Various Fibres” શીર્ષક હેઠળ રજૂ કરેલ મહાશોધ નિબંધને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ સંશોધનકાર્ય તેમણે યુનિવર્સિટીના રસાયણશાષા વિભાગના પ્રોફેસર ડો.પરેશ એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરેલ છે. જે બદલ કોલેજના આચાર્ય ડો.પુનમ બી. ચૌહાણે આચાર્ય, સ્ટાફગણો તથા વિદ્યાર્થીઓએ હાર્દિક અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.