April 17, 2026
Vartman Pravah
Breaking Newsદેશ

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

અધિકારીઓ સાથે પણ કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિને લક્ષદ્વીપ પહોંચી સુશાસન દિવસની ઉજવણીને શ્રમેવ જયતેના સિદ્ધાંત સાથે સાર્થક કરી હતી. તેમણે કોચી બંદરથી લક્ષદ્વીપ આવતા મુસાફરોને પડતીતકલીફની પ્રત્‍યક્ષ જાણકારી માટે કોચી બંદર ઉપર જહાજ સાથે વ્‍હાર્ફ(ધક્કા)ની પણ મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોચી બંદરના ધક્કા ખાતે પહોંચી જહાજમાં પ્રવાસ કરતા મુસાફરોની સમસ્‍યાથી પણ તેઓ અવગત થયા હતા અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો પણ આપ્‍યા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હંમેશા હવાઈ માર્ગે લક્ષદ્વીપ જતા હોય છે. પરંતુ દરરોજ સેંકડો પ્રવાસીઓ અને લક્ષદ્વીપના નિવાસીઓ પોતાની અવર-જવર માટે કોચી બંદર મારફત બોટનો ઉપયોગ કરતા હોય છે. ગઈકાલે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના અત્‍યંત વ્‍યસ્‍ત કાર્યક્રમો વચ્‍ચે સમય કાઢી કોચી બંદર ઉપર લાંગરેલ જહાજની મુલાકાત લીધી હતી અને ધક્કાનું પણ નિરીક્ષણ કરી પ્રવાસીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્‍યા જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો. અધિકારીઓને પણ જરૂરી દિશા-નિર્દેશ આપી પ્રવાસ સરળ બને તે દિશામાં પ્રયાસ કરવા તાકિદ કરી હતી.

Related posts

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત‘ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

“આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ”ની સિદ્ધિ દાનહ અને દમણ-દીવના 30 કરતા વધુ આદિવાસી વિદ્યાર્થીઓ આ વર્ષે M.B.B.S. ડૉક્‍ટર બની ચુક્‍યા છે

vartmanpravah

વલસાડ કલેકટર કચેરી ખાતે ‘વાત્‍સલ્‍ય ઘોડિયાઘર’નું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી નોટીફાઈડ બોડીની મિટિંગ યોજાઈ : ટ્રાન્‍સપોર્ટનગરની જમીન હેતુફેર થઈ વેચાણ થયાનો મુદ્દો ગાજ્‍યો

vartmanpravah

‘Change Before Climate Change’ના સંદેશ સાથે પુરા ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલા જયંત મહાજનનું દમણ ખાતે આગમન

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Test Your Experimental Skills કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment