Vartman Pravah
Breaking Newsદેશ

શ્રમેવ જયતેઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની અવર-જવર કરતા પ્રવાસીઓની મુશ્‍કેલી હળવી કરવા કોચી બંદર ખાતે બોટ અને ધક્કાની લીધેલી મુલાકાત

અધિકારીઓ સાથે પણ કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિને લક્ષદ્વીપ પહોંચી સુશાસન દિવસની ઉજવણીને શ્રમેવ જયતેના સિદ્ધાંત સાથે સાર્થક કરી હતી. તેમણે કોચી બંદરથી લક્ષદ્વીપ આવતા મુસાફરોને પડતીતકલીફની પ્રત્‍યક્ષ જાણકારી માટે કોચી બંદર ઉપર જહાજ સાથે વ્‍હાર્ફ(ધક્કા)ની પણ મુલાકાત લીધી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કોચી બંદરના ધક્કા ખાતે પહોંચી જહાજમાં પ્રવાસ કરતા મુસાફરોની સમસ્‍યાથી પણ તેઓ અવગત થયા હતા અને અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો પણ આપ્‍યા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ હંમેશા હવાઈ માર્ગે લક્ષદ્વીપ જતા હોય છે. પરંતુ દરરોજ સેંકડો પ્રવાસીઓ અને લક્ષદ્વીપના નિવાસીઓ પોતાની અવર-જવર માટે કોચી બંદર મારફત બોટનો ઉપયોગ કરતા હોય છે. ગઈકાલે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાના અત્‍યંત વ્‍યસ્‍ત કાર્યક્રમો વચ્‍ચે સમય કાઢી કોચી બંદર ઉપર લાંગરેલ જહાજની મુલાકાત લીધી હતી અને ધક્કાનું પણ નિરીક્ષણ કરી પ્રવાસીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્‍યા જાણવાનો પણ પ્રયાસ કર્યો હતો. અધિકારીઓને પણ જરૂરી દિશા-નિર્દેશ આપી પ્રવાસ સરળ બને તે દિશામાં પ્રયાસ કરવા તાકિદ કરી હતી.

Related posts

ધોલાઈ બંદર દ્વારા દરિયામાં બોકસ ફિશિંગથી નાના માછીમારોને કરાતા નુકસાનની ફરિયાદના ઉકેલ માટે શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘના પ્રમુખ વિશાલ ટંડેલ અને મહામંત્રી ટી.પી.ટંડેલની ઉપસ્‍થિતિમાં ધોલાઈ બંદર ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

75 મા આઝાદી નો અમૃત મહોત્‍સવ નિમિત્તે ભાનુજ્‍યોત સ્‍કૂલ તથા ચણોદ ગ્રામ પંચાયત તથા ભાજપના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને ચણોદ ગામ વેપારી એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા – ઘર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ કરાટે હરિફાઈ યોજાઈઃ વિજેતાઓને પુરસ્‍કાર એનાયત કરાયા

vartmanpravah

પારસીઓના કાશી ગણાતા ઉદવાડામાં પારસી સમુદાય દ્વારા નૂતન વર્ષ પતેતીની ઉજવણી કરી

vartmanpravah

ધરમપુરના બીલપુડીમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથેનો વર્ચ્યુઅલ કાર્યક્રમ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

Leave a Comment