July 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ખાતે સ્‍વાધ્‍યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં વીર બાળ દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી,તા.27: કિલ્લા પારડી ખાતે આવેલ સ્‍વાધ્‍યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં સંઘ વિચારક શ્રી ઉજ્જવલભાઈ પટેલની ખાસ ઉપસ્‍થિતિમાં વીર બાળ દિવસની ઉજવણી અને પ્રવચન કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂગોવિંદસિંહના વીર પુત્રો જોરાવરસિંહ અને ફત્તેહસિંહના ધર્મ અને સંસ્‍કૃતિ માટેના અજોડ બલિદાનની શૌર્યગાથાને રજૂ કરી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્‍કૃતિના જતન માટે સજ્જ થવા વીર બાળ દિવસ અને પ્રવચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે સંઘ વિચારક શ્રી ઉજ્જવલભાઈ પટેલે એમની આગવી શૈલીમાં સંબોધતા ગુરૂ તેગબહાદુરના દેશ અને રાષ્‍ટ્ર કાજે કરાયેલ શૌર્યસભર સ્‍વાર્પણને સ્‍મરી વર્તમાન સમયમાં શીખ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં પર્યાવરણના મહત્ત્વને ધ્‍યાનમાં રાખી તુલસીપૂજન અને તેજોમય દીપનું પ્રજ્‍વલન કરવામાં કરવામાં આવ્‍યું હતું અને પ્રાચાર્યશ્રી પાર્થ ભટ્ટે અતિથિઓને અક્ષત કુમકુમ અને શાલ ઓઢાડી સ્‍વાગત અને આભાર દર્શન કર્યું હતું.
સંસ્‍કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ ‘મનસા સતતમ્‌ સ્‍મરણીયમ્‌’ ગીત સમૂહમાં રજૂ કરી પ્રસંગેને ભાવસભર બનાવ્‍યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ઋષિકુમાર શ્રી વરૂણ દવેએ કર્યું હતું.

Related posts

સેલવાસ સહિત આજુબાજુના ગામોમાં જાહેર રસ્‍તાઓ ઉપર રખડતા પશુઓના કારણે વારંવાર થઈ રહ્યા છે અકસ્‍માત

vartmanpravah

ઘોઘલાની સમુદાઈ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે રાષ્‍ટ્રિય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

રવિવારે વાપીમાં શેખાવાટી લોકકલા મંચ દ્વારા ફાગોત્‍સવ 2024 યોજાશે

vartmanpravah

અતુલ સ્‍ટેશન નજીક રાજધાની એક્‍સપ્રેસ ટ્રેન ઉડાવવા ષડયંત્રની ઉચ્‍ચ સ્‍તરીય પોલીસ તપાસ શરૂ

vartmanpravah

હવે સંઘપ્રદેશમાં ધો.10થી 1રના વિદ્યાર્થીઓ પણ કોવિડ કવચથી સુરક્ષિત બન્‍યા: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં 1પ થી 18 વયજૂથના કિશોર-કિશોરીઓના 100 ટકા વેક્‍સીનેશન માટે મળેલી સફળતા

vartmanpravah

Leave a Comment