Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

બિલિમોરાની ‘નારી સેના’ દ્વારા બામણવેલ વિદ્યાલયમાં સ્‍વેટર વિતરણ કરાયI

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)ચીખલી, તા. 11
ગ્રામ સેવા સમાજ ચિખલી સંચાલિત નવ નિર્માણ ઉ બુ. વિદ્યાલય બામણવેલ માં આજરોજ શ્રી નિલેશભાઇ એમ. પટેલ દ્વારા સ્‍થાપિત ‘નારી સેના’ બિલિમોરા સંસ્‍થાના પ્રમુખશ્રી અશોકભાઇ ઉનાગર, અધ્‍યક્ષ શ્રીમતિ ભાવનાબેન એમ. પટેલ તેમજ ઉપાધ્‍યક્ષ શ્રીમતિ શિતલબેનએ ઉનાગર દ્વારા અમારી શાળામાં અભ્‍યાસ કરતાં ધો.9 થી 12ના વઘઇ,આહવા, સુબિર તેમજ કપરાડા જેવા અંતરિયાળ વિસ્‍તારના અંત્‍યંત ગરિબ આદીવાસી વિદ્યાર્થીઓ જેમાં જ્‍યાં- 90 અને કુમાર – 135 મળી કુલ 225 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્‍વેટર વિતરણ કરવામાં આવ્‍યું.
આ કાર્યક્રમમાં નારી સેના સંસ્‍થાના પ્રદેશ ઉપ પ્રમુખ શ્રીમતિ અંતરબેન રાઠોડ, જિલ્લા પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ, જિલ્લા મહામંત્રી શ્રીમતી મિનાબેન પટેલ, ગણદેવી તાલુકા ઉપ પ્રમુખ શ્રીમતિ જ્‍યોતિબેન પટેલ, ડઢોરા ગામના પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબેન પટેલ તેમજ પત્રકાર શ્રી દિપકભાઇ સોલંકી વગેરેની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.
શાળાના આચાર્યશ્રી અજયભાઇ રાઠોડે સંસ્‍કળત સુભાષિતટાંકીને દાતાશ્રી વાડીલાલભાઇ યુ દોષી (મુંબઇ)ને અભાર પાઠવતાં તેઓના ઉમદા કાર્ય અને સેવાયજ્ઞને બિરદાવ્‍યો હતો. નારી સેનાના ઉપસ્‍થિત સભ્‍યોએ વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ પ્રાપ્ત કરી ઉજ્‍વળ ભવિષ્‍યની કામના કરતાં તેમનું અને શાળાનું નામ રોશન કરવા પ્રોત્‍સાહિત કર્યા હતાં.
શાળા પરિવાર વતિ શિક્ષિકાબેન કુ મિતા પટેલે દાતાશ્રી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વચ્‍ચે સેતું રૂપ બનેલી આ નારી સેનાનું અને દાતાશ્રીઓનો અભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલય અને લાયબ્રેરીની મુલાકાત લેતા ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ

vartmanpravah

vartmanpravah

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડીના અંબાચ ખાતેથી 25.68 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી ફગ્‍ગનસિંઘ કુલાસ્‍તેએ દાનહ લોકસભા બેઠક માટે 2024ની તૈયારીની કરેલી સમીક્ષાઃ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથેકરેલું મનન-મંથન

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment