April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: દાદરા નગર હવેલીમાં વસંતપંચમીની તૈયારી માટે કારીગરો દ્વારા સરસ્‍વતી માતાની મુર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. આવનાર 26મી જાન્‍યુઆરીએ વસંત પંચમી છે. આ દિવસે સરસ્‍વતી પૂજા કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ સરસ્‍વતી પૂજા માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે, જ્‍યારે છ ઋતુઓમાંથી વસંતઋતુ સૌથી મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. વસંતઋતુમાં ફૂલો આવે છે અને ખેતરોમાં પણ અનેક પ્રકારના પાક ખીલવા લાગે છે. સાથોસાથ પતંગિયાઓ પણ પાક ઉપર મંડરાતા જોવા મળે છે. વસંતપંચમી વસંતઋતુના મહિનાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસને સરસ્‍વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવેછે. સરસ્‍વતી પૂજાનો પાવન ઉત્‍સવ માઘ મહિનાના શુક્‍લ પક્ષે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્‍વતીનો જન્‍મદિવસ વસંત પંચમીના દિવસે આવે છે.
આ તહેવાર પર ખાસ દેવી સરસ્‍વતીની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્‍વતીને જ્ઞાનની દેવી કહેવામાં આવે છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે સરસ્‍વતીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરેક વ્‍યક્‍તિ સરસ્‍વતી માતાની પૂજા કરે છે અને બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમના આશીર્વાદ માંગે છે.
સરસ્‍વતી પૂજા નિમિત્તે સેલવાસમાં આમલી વિસ્‍તારમાં મૂર્તિના કારીગરો દ્વારા સરસ્‍વતી માતાની મૂર્તિ બનાવવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવ્‍યો હતો. આ મૂર્તિઓ સંપૂર્ણ રીતે પર્યાવરણ ફ્રેન્‍ડલી બનાવવામાં આવી રહી છે.

Related posts

દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સમિતિ દ્વારા‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતની વિધાનસભાની બેઠકો માટે ચૂંટણીલક્ષી મહામનોમંથન હાથ ધરાયું

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

વલસાડના ધો.3ના વિદ્યાર્થીએ સ્‍ટેટ લેવલની બેડમિન્‍ટન સ્‍પર્ધામાં બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

નવસારી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ચિંતા

vartmanpravah

Leave a Comment