October 22, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.23: દાદરા નગર હવેલીમાં વસંતપંચમીની તૈયારી માટે કારીગરો દ્વારા સરસ્‍વતી માતાની મુર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. આવનાર 26મી જાન્‍યુઆરીએ વસંત પંચમી છે. આ દિવસે સરસ્‍વતી પૂજા કરવામાં આવે છે. પ્રાચીન કાળથી જ સરસ્‍વતી પૂજા માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે, જ્‍યારે છ ઋતુઓમાંથી વસંતઋતુ સૌથી મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. વસંતઋતુમાં ફૂલો આવે છે અને ખેતરોમાં પણ અનેક પ્રકારના પાક ખીલવા લાગે છે. સાથોસાથ પતંગિયાઓ પણ પાક ઉપર મંડરાતા જોવા મળે છે. વસંતપંચમી વસંતઋતુના મહિનાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસને સરસ્‍વતી પૂજા તરીકે પણ ઓળખવામાં આવેછે. સરસ્‍વતી પૂજાનો પાવન ઉત્‍સવ માઘ મહિનાના શુક્‍લ પક્ષે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવી સરસ્‍વતીનો જન્‍મદિવસ વસંત પંચમીના દિવસે આવે છે.
આ તહેવાર પર ખાસ દેવી સરસ્‍વતીની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્‍વતીને જ્ઞાનની દેવી કહેવામાં આવે છે. દર વર્ષે વસંત પંચમીના દિવસે સરસ્‍વતીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરેક વ્‍યક્‍તિ સરસ્‍વતી માતાની પૂજા કરે છે અને બુદ્ધિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેમના આશીર્વાદ માંગે છે.
સરસ્‍વતી પૂજા નિમિત્તે સેલવાસમાં આમલી વિસ્‍તારમાં મૂર્તિના કારીગરો દ્વારા સરસ્‍વતી માતાની મૂર્તિ બનાવવામાં આવી રહી છે અને તેને આખરી ઓપ આપવામાં આવ્‍યો હતો. આ મૂર્તિઓ સંપૂર્ણ રીતે પર્યાવરણ ફ્રેન્‍ડલી બનાવવામાં આવી રહી છે.

Related posts

વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત માનસિક સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

Leave a Comment