March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

દાનહ વેપારી એસોસિએશનના શાંતુભાઈ પુજારીએ પાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ તથા કાઉન્‍સિલરો સમક્ષ વેન્‍ડરોના પ્રશ્નોની કરેલી રજૂઆતઃ પાલિકાના પ્રતિનિધિઓ તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે આપવામાં આવેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: આજે દાદરા નગર હવેલી વેપારી એસોસિએશનના શ્રી શાંતુભાઈ પુજારી અને તેમની ટીમે સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર માટેચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના પ્રતિનિધિઓ માટે ગાયત્રી મંદિર ગ્રાઉન્‍ડ ખાતે સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને ઉપાધ્‍યક્ષ શ્રી અજયભાઈ દેસાઈએ ઉપસ્‍થિત રહી પદાધિકારીઓનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર શ્રીમતી રજનીબેન શેટ્ટી, શ્રીમતી શીતલબેન, શ્રી સુમનભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ, શ્રી મનોજભાઈ દયાત, શ્રી બકુભાઈ બરફે ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રી સંજયભાઈ, શ્રી શ્રીકાંતભાઈ, શ્રી મિલિંદભાઈ તથા શ્રીમતી રમીલાબેનનું સ્‍વાગત અને અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે દાદરા નગર હવેલી વેપારી એસોસિએશનના શ્રી શાંતુભાઈ પુજારીએ સ્‍ટ્રીટ વેન્‍ડરોની સમસ્‍યાઓથી પણ ન.પા. પ્રમુખ – ઉપ પ્રમુખ તથા કાઉન્‍સિલરોને માહિતગાર કર્યા હતા. તેઓએ સમસ્‍યાના નિરાકરણ માટે આશ્વાસન પણ આપ્‍યું હતું.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ

vartmanpravah

ચીખલીમાં જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો: સરકારના વ્‍યાજખોરોના દૂષણને ડામવાના અભિયાનમાં લોકોને સહભાગી થવા અનુરોધ કરાયો

vartmanpravah

દાનહ ખાનવેલ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાના શિક્ષક સામે વિદ્યાર્થીઓ સાથે ગેર વર્તણુક કરતોવિડીયો વાયરલ થતાં સસ્‍પેન્‍ડ કરાયા

vartmanpravah

ભાજપની જાહેર સભામાં જનમેદની લાવવા પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ હરિશભાઈ પટેલે ભજવેલી મહત્‍વની ભૂમિકા

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

આંબોલી ગ્રામ પંચાયતના આંબોલી ગામમાં ‘સરકાર તમારા ઘર પર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment