April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

દાનહ વેપારી એસોસિએશનના શાંતુભાઈ પુજારીએ પાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ તથા કાઉન્‍સિલરો સમક્ષ વેન્‍ડરોના પ્રશ્નોની કરેલી રજૂઆતઃ પાલિકાના પ્રતિનિધિઓ તરફથી પ્રશ્નોના નિરાકરણ માટે આપવામાં આવેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: આજે દાદરા નગર હવેલી વેપારી એસોસિએશનના શ્રી શાંતુભાઈ પુજારી અને તેમની ટીમે સેલવાસ નગરપાલિકા વિસ્‍તાર માટેચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના પ્રતિનિધિઓ માટે ગાયત્રી મંદિર ગ્રાઉન્‍ડ ખાતે સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને ઉપાધ્‍યક્ષ શ્રી અજયભાઈ દેસાઈએ ઉપસ્‍થિત રહી પદાધિકારીઓનું અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર શ્રીમતી રજનીબેન શેટ્ટી, શ્રીમતી શીતલબેન, શ્રી સુમનભાઈ પટેલ, શ્રી હિતેશભાઈ, શ્રી મનોજભાઈ દયાત, શ્રી બકુભાઈ બરફે ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રી સંજયભાઈ, શ્રી શ્રીકાંતભાઈ, શ્રી મિલિંદભાઈ તથા શ્રીમતી રમીલાબેનનું સ્‍વાગત અને અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે દાદરા નગર હવેલી વેપારી એસોસિએશનના શ્રી શાંતુભાઈ પુજારીએ સ્‍ટ્રીટ વેન્‍ડરોની સમસ્‍યાઓથી પણ ન.પા. પ્રમુખ – ઉપ પ્રમુખ તથા કાઉન્‍સિલરોને માહિતગાર કર્યા હતા. તેઓએ સમસ્‍યાના નિરાકરણ માટે આશ્વાસન પણ આપ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લામાં ઓટો સેક્‍ટરમાં ફૂલ તેજી : જિલ્લામાં 2023-24માં જુદા જુદા પ્રકારના 52,682 વાહનો નોંધાયા

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક હવેથી પર્મેનેન્‍ટલી બંધ : વાહન ચાલકોએ મોતીવાડા અથવા બગવાડા પુલથી અવર જવર કરવી પડશે

vartmanpravah

દમણ-દીવમાં ભાજપે ચોથી ટર્મ માટે પણ સાંસદ લાલુભાઈ પટેલને ટિકિટ આપતાં લોકોમાં પ્રગટ થઈ રહેલો અપાર આનંદ-ઉત્‍સાહ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ગેરકાયદેસર પથ વિક્રેતાઓ પર કાર્યવાહી કરાઈ

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દાનહ અને દમણ-દીવમાંથી કુપોષણની સમસ્‍યા નાબૂદ કરવાના સંકલ્‍પને સાકાર કરવા પ્રશાસનિક પ્રયાસો તેજ

vartmanpravah

Leave a Comment