February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: દાદરા નગર હવેલી અને દમણ-દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા 100 નાગરિકો જેમણે ઘરવેરો ભરવાનો બાકી છે તેઓને 20 ડિસેમ્‍બરના રોજ નોટિસ આપવામાં આવી હતી. જેના અંતર્ગત આ દરેક નાગરિકોને બાકીઘરવેરો ભરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્‍યો છે. અગર તેઓ પંદર દિવસની અંદર એમનો બાકી વેરો ભરવામાં અસફળ રહેશે તો તેઓ વિરુદ્ધ દાનહ અને દમણ-દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142 મુજબ એમના બાકી વેરા પર વ્‍યાજ લગાવવામાં આવશે અને એમની સંપત્તિને સીલ કરવાનું વોરન્‍ટ જારી કરવામાં આવી શકે છે.
આજે સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બાકી વેરો હોય તેવા સંપત્તિ ધારકોને ગુલાબનુ ફુલ આપી બાકી વેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહ દ્વારા પણ બાકી વેરાધારકોને મળી ગુલાબનું ફુલ આપી પ્રોત્‍સાહીત કર્યા હતા અને દરેક નાગરિકોને અપીલ કરી કે પોતાનો બાકી વેરો વહેલામાં વહેલી તકે ભરી દેવામા આવે.

Related posts

નવસારી અને વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે જિલ્લા કલેકટરો સાથે મુખ્‍યમંત્રીએ ટેલિફોન પર વાત કરી સતકર્તા અને તકેદારી રાખવા સૂચના આપી

vartmanpravah

વાપીમાં રેલવે ઓવરબ્રિજ બંધ કરાતા ઉદ્દભવતી ટ્રાફિક સમસ્‍યા ઉકેલ માટે ઉચ્‍ચ બેઠક મળી

vartmanpravah

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

એશિયન યુથ બોક્‍સિંગ ચેમ્‍પિયનશિપ-2024 માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિત કુમારની પસંદગી

vartmanpravah

વાપી ડુંગરાના પીરમોરામાં રૂા.4.40 કરોડના ખર્ચે તળાવ વિકસાવવાના કામનું ખાતમુહૂર્ત કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

દાનહ-સાયલી પંચાયત ખાતે ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment