December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: દાદરા નગર હવેલી અને દમણ-દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા 100 નાગરિકો જેમણે ઘરવેરો ભરવાનો બાકી છે તેઓને 20 ડિસેમ્‍બરના રોજ નોટિસ આપવામાં આવી હતી. જેના અંતર્ગત આ દરેક નાગરિકોને બાકીઘરવેરો ભરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્‍યો છે. અગર તેઓ પંદર દિવસની અંદર એમનો બાકી વેરો ભરવામાં અસફળ રહેશે તો તેઓ વિરુદ્ધ દાનહ અને દમણ-દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142 મુજબ એમના બાકી વેરા પર વ્‍યાજ લગાવવામાં આવશે અને એમની સંપત્તિને સીલ કરવાનું વોરન્‍ટ જારી કરવામાં આવી શકે છે.
આજે સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બાકી વેરો હોય તેવા સંપત્તિ ધારકોને ગુલાબનુ ફુલ આપી બાકી વેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહ દ્વારા પણ બાકી વેરાધારકોને મળી ગુલાબનું ફુલ આપી પ્રોત્‍સાહીત કર્યા હતા અને દરેક નાગરિકોને અપીલ કરી કે પોતાનો બાકી વેરો વહેલામાં વહેલી તકે ભરી દેવામા આવે.

Related posts

પારડી હોસ્‍પિટલમાં ચાલી રહેલો સર્જીકલ કેમ્‍પ

vartmanpravah

દાનહ પોલીસે 1.6 કિલો ગાંજા સાથે બે આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

પારડી વકીલ મંડળે અશ્વમેઘ શાળા ખાતે ઉજવ્‍યો આંતરરાષ્‍ટ્રીય કાનૂની દિવસ

vartmanpravah

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા JEEMainના વિદ્યાર્થીઓ માટે Target 99 Percentile પ્રોગ્રામ

vartmanpravah

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah

Leave a Comment