Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.27: દાદરા નગર હવેલી અને દમણ-દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા 100 નાગરિકો જેમણે ઘરવેરો ભરવાનો બાકી છે તેઓને 20 ડિસેમ્‍બરના રોજ નોટિસ આપવામાં આવી હતી. જેના અંતર્ગત આ દરેક નાગરિકોને બાકીઘરવેરો ભરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્‍યો છે. અગર તેઓ પંદર દિવસની અંદર એમનો બાકી વેરો ભરવામાં અસફળ રહેશે તો તેઓ વિરુદ્ધ દાનહ અને દમણ-દીવ નગર પાલિકા અધિનિયમ 2004ના અનુભાગ 142 મુજબ એમના બાકી વેરા પર વ્‍યાજ લગાવવામાં આવશે અને એમની સંપત્તિને સીલ કરવાનું વોરન્‍ટ જારી કરવામાં આવી શકે છે.
આજે સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બાકી વેરો હોય તેવા સંપત્તિ ધારકોને ગુલાબનુ ફુલ આપી બાકી વેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર ડો. સુનભ સિંહ દ્વારા પણ બાકી વેરાધારકોને મળી ગુલાબનું ફુલ આપી પ્રોત્‍સાહીત કર્યા હતા અને દરેક નાગરિકોને અપીલ કરી કે પોતાનો બાકી વેરો વહેલામાં વહેલી તકે ભરી દેવામા આવે.

Related posts

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં આગામી ત્રણ-ચાર દિવસભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી

vartmanpravah

દેશના વડાપ્રધાન તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના 8 વર્ષમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે લેવાયેલા મહત્‍વના 8 નિર્ણયો

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા” અભિયાનઃ ધરમપુર, કપરાડા, પારડી અને વાપીમાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ

vartmanpravah

આજે દાનહ અને દમણ-દીવના જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે બેઠક યોજાશે

vartmanpravah

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah

Leave a Comment