બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા આપેલું યોગદાન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : ‘સ્વચ્છતા હી સેવા પખવાડા’ અંતર્ગત આજે સ્વૈચ્છિક રીતે કરેલા એક કલાકના શ્રમદાનમાં દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા)ના નેતૃત્વમાં માછી સમાજ દ્વારા બરૂડિયા શેરી, સહિત વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
શ્રી ગોપાલ દાદાની સાથે પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી સિમ્પલબેન કાટેલા, શ્રી વિશાલભાઈ ટંડેલ, શ્રી કાનજીભાઈ ઢાંગરા સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈ-બહેનો જોડાયા હતા.