January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસના સાંઈધામ સોસાયટીમાંથી પાંચમા માળેથી યુવતીએ છલાંગ લગાવતા ઈજા થતાં સારવાર હેઠળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10 : સેલવાસના સાંઈધામ સોસાયટીમાં રહેતી એક યુવતીએ કોઈક અગમ્‍ય કારણોસર પાંચમા માળેથી કૂદકો માર્યો હતો. જેમાં નીચે જોરદાર રીતે પટકાતા તેણીને ભારે ઈજાગ્રસ્‍ત થઈ હતી તેથી તાત્‍કાલિક સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર હિમાંશી જયસીંગ (ઉ.વ.23)એ કોઈક અગમ્‍ય કારણોસર સેલવાસના સાંઈધામ સોસાયટીના બિલ્‍ડિંગના પાંચમા માળેથી કુદકો મારી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં હાથ અને પગમાં જ ઇજા થતાં ચમત્‍કારિક રીતે બચાવ થયો હતો. આ યુવતી નીચે પટકાતા સોસાયટીના લોકો દોડી આવ્‍યા હતા અને ઈજાગ્રસ્‍ત થયેલી યુવતીને સારવાર અર્થે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવી છે. આ યુવતીએ કયા કારણોસર આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો છે એ જાણી શકાયું નથી. હિમાંશીએ કોલેજ સુધીનો અભ્‍યાસ પૂર્ણ કરી હાલમાં ઘરે જ પરિવાર સાથે રહે છે. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુતપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

વાપી જીઆઈડીસી પાણીનો ભાવ વધારો ગાંધીનગરમાં ગાજ્‍યો : ઉચ્‍ચ સમિક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

વાપી ગોદાલનગર ખાતે એપેક્‍સ મેટરનિટી અને ચિલ્‍ડ્રન હોસ્‍પિટલનું કરવામાં આવેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

કપરાડાની ખાતુનિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીની સહાય કરાઈ

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નીટ યુ.જી. આધારિત મેડિકલ કોર્સની સીટ માટે એડમિશન અને કાઉન્‍સિલિંગ પ્રક્રિયાનો 14 ઓગસ્‍ટથી પ્રારંભ

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

Leave a Comment