September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

હવેથી દમણમાં ઓનલાઈન ડિજિટલ માધ્‍યમથી જ 1 અને 14ની નકલ મળશે

1 અને 14ની નકલ માટે કાગળ ઉપર લખેલી અરજી બંધ કરવાનો મામલતદાર કાર્યાલય દ્વારા લેવાયેલો નિર્ણય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-દોરવણી હેઠળ દમણ જિલ્લા પ્રશાસને જનતાને તમામ સરકારી સુવિધાઓ આજની ડિજિટલ ટેક્‍નીકના માધ્‍યમથી ઘરબેઠા મળી શકે તે પ્રકારની વ્‍યવસ્‍થા માટે મહત્‍વપૂર્ણ ઉપલબ્‍ધિ હાંસલ થઈ છે.
ડિજિટલ ઈન્‍ડિયા અભિયાનઅંતર્ગત મામલતદાર કાર્યાલય દમણ દ્વારા હવેથી 1 અને 14ની નકલ સંપૂર્ણ રીતે ડિજિટલના માધ્‍યમથી જારી કરાશે. જેમને 1 અને 14ની નકલ જોઈતી હશે તેઓએ સુગમ પોર્ટલ ઉપર અરજી કરી અને જરૂરી ફીનું કાર્ડ, યુપીઆઈ અને નેટ બેંકિંગ દ્વારા ચૂકવણી કરી 1 અને 14ની નકલ માટે પોતાની અરજી જમા કરી શકે છે. આ 1 અને 14ની નકલ ફેસીમાઈલ હસ્‍તાક્ષર સાથે જારી કરાશે. ડિજિટલી જારી કરાયેલ 1 અને 14ની નકલનું સત્‍યાપન ક્‍યુઆર કોડ, બારકોડ તથા ફોર્મ 1 અને 14ની નકલમાં આપવામાં આવેલ પોર્ટલના લિંક દ્વારા કરી શકાશે. આ 1 અને 14ની નકલને અરજકર્તાના ડિજિ લોકર સાથે પણ જોડી શકાય છે.
હવેથી 1 અને 14ની નકલ માટે કાગળ ઉપર લખી અરજી કરવાની પ્રથા તાત્‍કાલિક પ્રભાવથી બંધ કરવામાં આવી છે અને હવે 1 અને 14ની નકલ ડિજિટલ માધ્‍યમથી જ મળી શકશે તેની નોંધ લેવા પણ દમણના મામલતદાર શ્રી સાગર ઠક્કરે એક અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પ્રખ્‍યાત બનેલ પારડી નગરપાલિકાના તમામ 28 સભ્‍યોને પ્રાદેશિક કમિશનર કચેરીનુંતેડું ગેરવહીવટ પુરવાર થતાં તમામ રકમ સભ્‍યો પાસેથી વસૂલવામાં આવશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં 11258 કેસોનો નિકાલ, રૂ. 12. 57કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય બોક્‍સિંગ ફેડરેશન દ્વારા મોન્‍ટેનેગ્રોમાં આયોજીત યુથ બોક્‍સિંગ કપ-2024માં સંઘપ્રદેશના બોક્‍સર સુમીતનું શાનદાર પ્રદર્શનઃ ઓસ્‍ટ્રિયા અને પોલેન્‍ડના ખેલાડીઓને પરાજીત કરી ક્‍વાર્ટર ફાઈનલમાં કરેલો પ્રવેશ

vartmanpravah

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના મેડિકલ અને હેલ્‍થ સર્વિસિસના ડાયરેક્‍ટર તરીકે ત્‍ખ્‍લ્‍ અધિકારી અસકર અલીને આપેલો વધારાનો અખત્‍યાર

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

Leave a Comment