Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાએ મહિલાઓની જાગૃતિ માટે વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સહયોગથી કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી નગરપાલિકાના એનયુએલએમ વિભાગના ઉપક્રમે મહિલાઓની જાગૃતિ માટે વલસાડ ‘‘સખી વન સ્‍ટોપ સેન્‍ટર” ના સહયોગથી કાર્યક્રમ યોજી મહિલાઓને જાતિ ભેદભાવ અને હિંસા તથા કાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ‘‘નઈ ચેતના પહેલ બદલાવ કી” થીમ હેઠળના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કાશ્‍મીરાબેન શાહ દ્વારા જણાવાયું કે દરેક મહિલાએ પોતાના અસ્‍તિત્‍વ માટે જાગૃત રહેવું જોઈએ.
મહિલાઓએ જ મહિલાઓના સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી પડે એવા સંજોગોનુંનિર્માણ જ થવા દેવું ના જોઈએ. એમણે પોતાના હક માટે જાગૃત રહેવું જોઈએ. દરેક મહિલાએ બીજી મહિલા સાથે યોગ્‍ય વ્‍યવહાર કરવો જોઈએ. ઉપપ્રમુખ અભયભાઈ નહારે મહિલાઓને સતર્ક રહેવાનું જણાવી એમની સુરક્ષા અને મદદ માટેની મોબાઈલ એપ ડાઉનલોડ કરી રાખવા સૂચન કર્યું હતું. વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સંચાલિકા ગિરિબાળાબેન દ્વારા સરકારના વલસાડ ખાતેના સીવીલ હોસ્‍પિટલના કેમ્‍પસમાં આવેલ આ સેન્‍ટરની માહિતી આપી કોઈ સંકોચ કે ડર વગર એનો સમયસર લાભ લેવા જણાવ્‍યુ હતું. તેમણે જણાવ્‍યું કે, સખી વન સ્‍ટોપ સેન્‍ટર 24 કલાક ખુલ્લુ રાખવામાં આવે છે અને હિંસાથી પીડિત મહિલાઓને સુવિધા પૂરી પાડવામાં આવે છે. હિંસાનો ભોગ બનેલ મહિલાઓને કાયદાકીય સલાહ ઉપરાંત પોલીસ સહાય, તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે. અને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે. વાપી સખી મંડળની બહેનોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. સંચાલન નગરપાલિકાના રાકેશ ઠક્કરે કર્યું હતું. નગરપાલિકા એનયુએલએમ વિભાગના કળણાલ પટેલ તથા જિગ્નેશ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related posts

સમગ્ર ગુજરાતમાં એસટી વિદ્યાર્થીઓને સરકારના ફ્રી શીપકાર્ડ બંધ કરવાના પરિપત્રથી વાલી-વિદ્યાર્થીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

દેશના રાષ્‍ટ્રપતિ પદે આદિવાસી મહિલા દ્રૌપદી મુર્મુના વિજયની ઉમરગામ તાલુકાના આદિવાસીઓએ કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

ખેરગામના તોરણવેરામાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન અમદાવાદ ખાતે થયેલું મોત

vartmanpravah

વાપીમાં પ્રવાસી રાજસ્‍થાનીઓનું સ્‍નેહમિલન યોજાયું

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

vartmanpravah

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

Leave a Comment