April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાએ મહિલાઓની જાગૃતિ માટે વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સહયોગથી કાર્યક્રમ યોજી માર્ગદર્શન આપ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી નગરપાલિકાના એનયુએલએમ વિભાગના ઉપક્રમે મહિલાઓની જાગૃતિ માટે વલસાડ ‘‘સખી વન સ્‍ટોપ સેન્‍ટર” ના સહયોગથી કાર્યક્રમ યોજી મહિલાઓને જાતિ ભેદભાવ અને હિંસા તથા કાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. ‘‘નઈ ચેતના પહેલ બદલાવ કી” થીમ હેઠળના કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ કાશ્‍મીરાબેન શાહ દ્વારા જણાવાયું કે દરેક મહિલાએ પોતાના અસ્‍તિત્‍વ માટે જાગૃત રહેવું જોઈએ.
મહિલાઓએ જ મહિલાઓના સશક્‍તિકરણ માટે જાગૃતિ લાવવી પડે એવા સંજોગોનુંનિર્માણ જ થવા દેવું ના જોઈએ. એમણે પોતાના હક માટે જાગૃત રહેવું જોઈએ. દરેક મહિલાએ બીજી મહિલા સાથે યોગ્‍ય વ્‍યવહાર કરવો જોઈએ. ઉપપ્રમુખ અભયભાઈ નહારે મહિલાઓને સતર્ક રહેવાનું જણાવી એમની સુરક્ષા અને મદદ માટેની મોબાઈલ એપ ડાઉનલોડ કરી રાખવા સૂચન કર્યું હતું. વલસાડ સખી વન સ્‍ટોપ સેન્‍ટરના સંચાલિકા ગિરિબાળાબેન દ્વારા સરકારના વલસાડ ખાતેના સીવીલ હોસ્‍પિટલના કેમ્‍પસમાં આવેલ આ સેન્‍ટરની માહિતી આપી કોઈ સંકોચ કે ડર વગર એનો સમયસર લાભ લેવા જણાવ્‍યુ હતું. તેમણે જણાવ્‍યું કે, સખી વન સ્‍ટોપ સેન્‍ટર 24 કલાક ખુલ્લુ રાખવામાં આવે છે અને હિંસાથી પીડિત મહિલાઓને સુવિધા પૂરી પાડવામાં આવે છે. હિંસાનો ભોગ બનેલ મહિલાઓને કાયદાકીય સલાહ ઉપરાંત પોલીસ સહાય, તબીબી સહાય પૂરી પાડવામાં આવે છે. અને હંગામી ધોરણે આશ્રય આપવામાં આવે છે. વાપી સખી મંડળની બહેનોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો. સંચાલન નગરપાલિકાના રાકેશ ઠક્કરે કર્યું હતું. નગરપાલિકા એનયુએલએમ વિભાગના કળણાલ પટેલ તથા જિગ્નેશ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી મનસુખ માંડવિયા તથા રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ ના હસ્તે વટાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની ખોખો ટીમ યુનિ. ઈન્‍ટર ઝોનલમાં પસંદગી થઈ

vartmanpravah

દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારીઃ શુભકામના પાઠવી

vartmanpravah

Leave a Comment