March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકાના સિયાદા ગામે શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન પ9 વડીલોનું સન્‍માન કરાયું

છેલ્લા પાંચ વર્ષથી વડીલોનું સન્‍માન કરી આશિર્વાદ લેવાની પરંપરા ચાલી રહી છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના સિયાદા ગામે સિયાદા યુવક મંડળ દ્વારા પાટીદાર મહોલ્લામાં છેલ્લા 40 વર્ષથી શ્રી ગણેશ મહોત્‍સવ ઉજવાઈ રહ્યો છે અને તેમાં છેલ્લા પાંચેક વર્ષથી ફળિયાના વડીલોનું સન્‍માન પણ કરવામાં આવી રહ્યું છે. હાલે સાંસ્‍કળતિક કાર્યક્રમની ભરમાર સાથે યોજાયેલાકાર્યક્રમની શરૂઆતમાં બેન્‍ડવાજા સાથે વડીલોનું મંડપમાં આગમન કરાવી ફટાકડા ફોડી ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, કાવેરી સુગરના ચેરમેન શ્રી આનંદભાઈ દેસાઈ, પાટીદાર સમાજ મંડળના ટ્રસ્‍ટી શ્રી હર્ષદભાઈ તીધરા, શ્રી જયંતીભાઈ ચીખલી, શ્રી અનિલભાઈ વાઘછીપા, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ ઠક્કરવાડ, સિયાદાના શ્રી હર્ષદભાઈ સહિતની ઉપસ્‍થિતિમાં 30 જેટલા પુરુષો અને 29 જેટલી મહિલાઓ મળી કુલ 59 જેટલા વડીલોનું યુવાનો દ્વારા સન્‍માન કરી તેમના આશીર્વાદ મેળવ્‍યા હતા.
આ પ્રસંગે મહાનુભવો એ જણાવ્‍યું હતું કે શ્રી ગણેશ મહોત્‍સવમાં આ રીતે વડીલોનું સન્‍માન કરી વડીલોના આશીર્વાદ મેળવી તેમનું ઋણ ચૂકવવાનો અવસર ખરેખર અનેરો છે અને સમાજમાં એક નવી રાહ ચિંધનારો કાર્યક્રમ છે. સમાજના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલે પણ વિદેશથી શુભેચ્‍છા સંદેશ મોકલવામાં આવતા તેનું વાંચન પણ કરાયું હતું. કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે પણ વડીલોના સન્‍માન માટે આયોજકોને બિરદાવી જીવનમાં વડીલોનું શું યોગદાન હોય તેના પર પ્રકાશ પાડ્‍યો હતો. સ્‍થાનિક એપીએમસીના ચેરમેન શ્રી કિશોરભાઈ પટેલ, ભાજપના પ્રભારી શ્રી રણજીતભાઈ ચીમના, કરંજ વિધાનસભાના ભાજપના પ્રભારી શ્રી ભરતભાઈ ખાંભડા સહિતનાઉપસ્‍થિત રહ્યા હતા. શ્રી હર્ષદભાઈના માર્ગદર્શન વચ્‍ચે શ્રી ફેનિલ પટેલ, શ્રી સ્‍નેહલ પટેલ, શ્રી હિતેશભાઈ સહિતનાઓએ સંચાલન કર્યું હતું.

Related posts

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

ડીઆઈજી આર.પી.મીણાના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ દમણમાં ભારતીય ન્‍યાય સંહિતા સહિતના અમલમાં આવેલા ત્રણ કાયદાઓની સમજ આપવા પોલીસ તંત્રએ પંચાયતો અને કોલેજોમાં યોજેલો જાગૃતિ કાર્યક્રમ

vartmanpravah

રાષ્‍ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સેલવાસ સરકિટ હાઉસમાં ‘ભારતીય ન્‍યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ’ વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

Leave a Comment