March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દશેરા એ શુદ્ધ ઘીની જલેબી અને સીંગતેલમાં બનાવેલા ફાફડા તો માત્ર રજવાડીના જ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: નવરાત્રી પૂર્ણ થયા બાદ વિજયા દશમી દશેરાની ઉજવણી કરવામાં આવે છે ત્‍યારે દરેક જગ્‍યા ઉપર ગુજરાતમાં ફાફડા જલેબી ખાવાનું લોકો ભૂલતા નથી. સમગ્ર દિવસ દરમિયાન મોટી સંખ્‍યામાં લોકો ફાફડા જલેબી આરોગી જતા હોય છે પરંતુ સ્‍વાસ્‍થ્‍ય માટે સંપૂર્ણપણે શુદ્ધ અને ગુણવત્તા યુક્‍ત ફાફડા અને જલેબી દરેક જગ્‍યાએ મળી શકે એવી બહુ જૂજ શકયતા છે ત્‍યારે વાપીમાં છેલ્લા કેટલાક વર્ષોથી દશેરાના દિવસે ફાફડા અને જલેબી સ્‍વાસ્‍થ્‍ય માટે શુદ્ધ અને ગુણવત્તા યુક્‍ત બનાવનાર એકમાત્ર નામ છે રજવાડી ફાફડા અને જલેબી. જે છેલ્લા કેટલાક વર્ષોથી લોકોને ગુણવત્તા યુક્‍ત ફાફડા જલેબી પૂરા પાડે છે. જીતુભાઈ દ્વારા વાપીની જનતાને શુદ્ધ ઘીમાં બનેલી જલેબી અને શુદ્ધ સીંગતેલમાં બનાવવામાં આવેલા ફાફડા પૂરા પાડવામાં આવે છે. જ્‍યાં વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળે છે. અહીંના ફાફડા વર્ષોથી જેવો લે છે તેઓ બીજી વાર જીતુભાઈને ત્‍યાં જ ફાફડા લેવા આવતા હોય છે ત્‍યારે આ વર્ષે પણ જીતુભાઈ દ્વારા મોરારજી સર્કલ પાસે રજવાડી ફાફડાનો સ્‍ટોર લગાવવામાં આવ્‍યો છે, જ્‍યાં વહેલી સવારથી જ લોકોની માંગ અને પહોંચી વળવા માટે ફાફડા જલેબી અને પ્રખ્‍યાત રાજકોટની ચટણી પણ લોકોનેપૂરી પાડવા માટે પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. વહેલી સવારથી જ તેમને ત્‍યાં મોટી સંખ્‍યામાં સૌરાષ્‍ટ્રવાસીઓ ફાફડા અને જલેબી લેવા ઉમટી પડે છે. જેની પાછળનું કારણ છે કે તેઓ શુદ્ધતા અને ગુણવત્તા વર્ષોથી જાળવી રાખી છે. આમ આજે પણ ગુણવત્તા યુક્‍ત ફાફડા જલેબી લેવા હોય તો જીતુભાઈને ત્‍યાં એટલે કે રજવાડી ફાફડા જલેબી વાપીમાં એક ઉત્તમ નામ છે.

Related posts

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ અંકિતા આનંદે પરિયારી શાળાના પ્રવેશોત્‍સવમાં આપેલી હાજરીઃ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપેલું ઉમદા માર્ગદર્શન

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah

‘નશામુક્‍ત ભારત’ અભિયાનઅંતર્ગત સંઘપ્રદેશમાં માદક પદાર્થોના જોખમ વિરુદ્ધ લડાઈ માટે સેલવાસ ન.પા.ના સભાખંડમાં જાગૃતિ બેઠક યોજાઈ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ: વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો ડર ઘટ્યો, વર્ષ ૨૦૧૯માં ૩૪૫ દર્દી હતા જે ઘટીને વર્ષ ૨૦૨૨માં માત્ર ૨૨ થયા

vartmanpravah

Leave a Comment