April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

પરિવહન વિભાગ દ્વારા જરૂરિયાતમંદોને મફત ચશ્‍મા આપવાની જાહેરાત કરાતા ઉપસ્‍થિત ડ્રાઈવરોએ સંઘપ્રદેશ પ્રશાસનનો પ્રગટ કરેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બનાવવામાં આવી રહેલા 34મા રાષ્‍ટ્રીય સડક સુરક્ષા સપ્તાહ અંતર્ગત આજે દમણના પરિવહન વિભાગ દ્વારા ઓટોરીક્ષા, ટેક્ષી અને બસ ચાલકો માટે આર.ટી.ઓ. કેમ્‍પસમાં મેગા આઈ ચેકઅપ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને પરિવહન સચિવ શ્રી મેકાલા ચૈતન્‍ય પ્રસાદના માર્ગદર્શન હેઠળ ‘સડક સુરક્ષા જીવન રક્ષા’ મંત્રને ચરિતાર્થ કરી આજે ઓટોરીક્ષા, ટેક્ષી તથાબસના ડ્રાઈવરોની આંખની તપાસ માટેના મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે પરિવહન નિર્દેશક શ્રી આશિષ મોહનના નેતૃત્‍વમાં દમણના મોટર વાહન નિરિક્ષક શ્રી બીપિન પવારે દમણ આરોગ્‍ય વિભાગના ડોક્‍ટરો અને આરોગ્‍ય સહાયકોની મદદથી તમામ ઉપસ્‍થિત ડ્રાઈવરોની આંખની તપાસ ઝીણવટપૂર્વક કરવામાં આવી હતી અને જેમને ચશ્‍માની જરૂરિયાત છે તેવા ચાલકોને સી.એસ.આર. અંતર્ગત ચશ્‍મા આપવાની વ્‍યવસ્‍થા પણ પરિવહન વિભાગ દ્વારા કરાતા રીક્ષા, ટેક્ષી અને બસ ચાલકોએ પ્રશાસન પ્રત્‍યે આભારની લાગણી પણ પ્રગટ કરી હતી.
આ પ્રસંગે મોટર વાહન નિરીક્ષક શ્રી બીપિન પવારે જણાવ્‍યું હતું કે, પ્રશાસનના પરિવહન વિભાગ દ્વારા 11થી 17મી જાન્‍યુઆરી, 2023 સુધી પ્રદેશમાં રાષ્‍ટ્રીય સડક સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં સડક સુરક્ષા સાથે સંબંધિત અનેક કાર્યક્રમો આયોજીત કરાશે. તેમણે સડક સુરક્ષા સાથે સંબંધિત નીતિ-નિયમોનું પાલન કરવા તમામ ઉપસ્‍થિત ડ્રાઈવરોને અપીલ પણ કરી હતી.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દારૂ-બિયરના પ્રભાવને ખતમ કરવા ચૂંટણી તંત્રએ શરૂ કરેલી કવાયત: સંઘપ્રદેશના મુખ્‍ય ચૂંટણી અધિકારી ટી.અરૂણે પ્રદેશના 8 ડિસ્‍ટિલરી પ્રબંધકો સાથે બેઠક કરી આપેલી જાણકારી

vartmanpravah

સરીગામ યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાધાબાઈ વાંચનાલયમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના નવા પુસ્‍તકો અર્પણ કરાયા

vartmanpravah

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલમાં વાસ્‍મોની નલ સે જલ યોજનામાં તકલાદી કામ સાથેભ્રષ્‍ટાચાર થવાનો ગામલોકોનો આક્ષેપ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે કુપોષિત બાળકોના ઘરે જઈ પરિવારને સમજાવવા કરેલો અનોખો પ્રયાસ

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment