October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સુરંગી પંચાયતમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.20: દાદરા નગર હવેલીના સુરંગી પંચાયતના ચીખલી નંદુપાડામાં ગ્રામજનો માટે રાત્રિ ચૌપાલનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેનો ઉદેશ્‍ય સાફ-સફાઈ અને 74મા ગણતંત્ર દિવસ અને ત્રીજી એનિવર્સરી દાદરા નગર હવેલી અને દમણ-દીવ મર્જર દિવસ નિમિતે જિલ્લા પંચાયતના ડીપીઓની અધ્‍યક્ષતામાં ગ્રામજનોને પેમ્‍પલેટ આપવામાં આવ્‍યા હતા. બાદમાં ગ્રામજનોને સ્‍વચ્‍છતા સુવિધાનો ઉપયોગ કરવા સાથે સ્‍વચ્‍છતાનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્‍યા હતા. એસએચજી ગ્રુપ દ્વારા સ્‍વચ્‍છતા અંગે સંબોધન કરતા ‘સુકો કચરો અને ભીનો કચરો’ અલગ અલગ રાખવા અને બેટરી, બલ્‍બ, કાચ, ઇલેક્‍ટ્રીક સામાનને અલગ અલગ રાખવા અને અલગ અલગ ડસ્‍ટબીનમાં રાખવા અને કચરાની ગાડી આવે ત્‍યારે તેમાં અલગ અલગ ‘સૂકો ભીનો કચરો’ આપવો. જેથી પ્રોસેસિંગ પ્રક્રિયામાં કોઈ તકલીફ ન પડે. આ કચરાનું ખાતર અને રિસાયક્‍લિંગની પ્રક્રિયા થઈ શકે અને કચરાની ગાડી નહીં આવે તો ટોલ ફ્રી નંબર પર ફોન કરવા સુચિત કરવામાં આવ્‍યા હતા.
આની સાથે રાત્રી ચૌપાલમાં ઉપસ્‍થિત અધિકારીઓએ ગ્રામજનોને જણાવ્‍યું કે ગણતંત્ર દિવસ અને ત્રીજી એનીવર્સરી કેન્‍દ્ર શાસિત દાનહ અને દમણ-દીવ મર્જર દિવસ 19 જાન્‍યુઆરીથી 21જાન્‍યુઆરી સુધી પ્રદેશના દરેક ગામોમાં વોર્ડ મુજબ આવી રાત્રી ચૌપાલ અનેગ્રામસભાનું આયોજન કરવામા આવશે. જેથી સ્‍વચ્‍છતાને એક જન ભાગીદારી આંદોલન બનાવવામાં આવશે. આ અવસરે જિલ્લા પંચાયત વિકાસ અને આયોજન અધિકારી, જિ.પં.સભ્‍ય, સરપંચ સહિત મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરનું એક એવુ સખી મંડળ કે જેની બહેનોએ આર્થિક સહાયથી ગૃહ ઉદ્યોગ નહી પરંતુ પ્રાકૃતિક ખેતીના શ્રીગણેશ કર્યા

vartmanpravah

ડેહલીમાં નિર્માણ થઈ રહેલી સોની સ્ટીલ એપ્લાયન્સ કંપનીના રસ્તાનો વિવાદ ફરી વકર્યો

vartmanpravah

દમણમાં સમાજ કલ્‍યાણ વિભાગ, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળ જાતીય શોષણ સામેના કાયદા અંગે બે દિવસીય શિબિર યોજાઈ

vartmanpravah

નુમા ઇન્‍ડિયા, દમણ બ્રાન્‍ચ દ્વારા તાપી જિલ્લાના આંબાપાણી ઈકો ટુરિઝમ કેમ્‍પ સાઈટ પર રાષ્‍ટ્રીય કક્ષાના માર્શલ આર્ટ કેમ્‍પનું સફળ આયોજન થયું

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment