(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.30: કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બુચરવાડા સ્થિત હરીજન સ્મશાન ખાતે દીવ વન વિભાગ તથા બુચરવાડા ગ્રામ પંચાયતના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં વન વિભાગના ડી.આર.ઓ જોજૂ પી. આપત્તેત અને બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ દિપક દેવજી તથા ઉપ. સરપંચ નરેન્દ્ર રાણા અન્ય પંચાયતના સભ્યો તથા વન વિભાગના કર્મચારીઓના હસ્તે 50 વડલા તથા પીપળાના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષારોપણનો મુખ્ય ઉદ્દેશ તાઉતે વાવાઝોડામાં વૃક્ષોની ક્ષતિની ભરપાઈ અને વાતાવરણમાં શુદ્ધિ તથા ધરતીને હરિયાળી બનાવવાનો છે.