Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દલવાડાના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં શ્રીમદ્‌ ભાગવત કથામાં રૂકમણી વિવાહની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31: બાબા વાસુકીનાથ મહાદેવ મંદિર, દલવાડા ખાતે આયોજિત સાત દિવસીય શ્રીમદ્‌ ભાગવત કથાના આજે છઠ્ઠા દિવસે વૃંદાવન ધામના કથાકાર અનંતાચાર્યજી મહારાજે ભક્‍તોને ભગવાનના મથુરા જવા તથા કંસના વધની કથા સંભળાવી હતી. મહર્ષિ સાંદીપનીના આશ્રમમાં શિક્ષણ મેળવવું, કલ્‍યાવનની હત્‍યા, ઉદ્ધવગોપી સંવાદની સંગીત કથા, ઉદ્ધવે ગોપીઓને પોતાના ગુરુ બનાવ્‍યા, દ્વારકાની સ્‍થાપના અને રુક્‍મણી વિવાહની કથા પણ શ્રોતાજનોને મધુર વાણીમાં સંભળાવી હતી.
નાની દમણના દલવાડા સ્‍થિત બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ચાલી રહેલી શ્રીમદ્‌ ભાગવત કથાના છઠ્ઠા દિવસે મંગળવારે શ્રી કૃષ્‍ણ રૂકમણી વિવાહનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેના સંદર્ભમાં, ભાગવતાચાર્યે કહ્યું કે મહારસમાં ભગવાન કૃષ્‍ણએ વાંસળી વગાડીને ગોપીઓને બોલાવી હતી અને મહારસ લીલા દ્વારા જ આત્‍મા પરમેશ્વરને મળ્‍યો હતો. તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્‍ણએ 16,000 ગોપીઓ સાથે લગ્ન કર્યા અને તેમની સાથે સુખી જીવન જીવ્‍યું. તેમણે જણાવ્‍યું કે રૂક્‍મણી વિદર્ભ દેશના રાજા ભીષ્‍મની પુત્રી અને દેવી લક્ષ્મીનો અવતાર હતી. જ્‍યારે રુકમણીએ દેવર્ષિ નારદના મુખેથી શ્રી કૃષ્‍ણના સ્‍વરૂપ, સૌંદર્ય અને ગુણોની પ્રશંસા સાંભળી, ત્‍યારે તેણે પોતાના હૃદયમાં શ્રી કૃષ્‍ણ સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. ભગવાન શ્રી કૃષ્‍ણ રુક્‍મણીના લગ્નની ઝાંખીએ સૌને ખૂબ જ ખુશ કરી દીધા હતા. રૂકમણી વિવાહના પ્રસંગે ભક્‍તોને નાચવામજબૂર કર્યા હતા. આ દરમિયાન કથા મંડપમાં લગ્નનો પ્રસંગ આવતાની સાથે જ ચારે બાજુથી શ્રી કૃષ્‍ણ રૂકમણી પર પુષ્‍પોની વર્ષા થઈ હતી. કથાકાર શ્રીએ જણાવ્‍યું હતું કે, કૃષ્‍ણ રૂકમણીના લગ્ન સમારોહમાં જે ભક્‍તો આવે છે તેમની વૈવાહિક સમસ્‍યા કાયમ માટે સમાપ્ત થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરના પાટોત્‍સવ નિમિત્તે જયરામદાસ અગ્રવાલ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યું છે. 2જી ફેબ્રુઆરીના ગુરૂવારે સુદામા ચરિત્ર સાથે કથાનું સમાપન કરવામાં આવશે. આ અવસરે બપોરે 12:00 વાગ્‍યાથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે.

Related posts

પારડીમાં હર્ષો ઉલ્લાસ અને વાંજતે ગાજતે થયું ગણેશ વિસર્જન: 11 દિવસ સાથે રહેલા ગણેશજીને વિદાય આપતા હર્ષના આંસુ છલકાયા

vartmanpravah

વાપીમાં બિલ્‍ડરો-ઉદ્યોગકારોના સહકારથી શ્રી કચ્‍છી ભાનુશાલી ટ્રસ્‍ટ મિત્ર મંડળ દ્વારા 12-13 જાન્‍યુઆરીએ સાંઇરામ દવેનો હાસ્‍ય દરબાર અને દાંડિયા કિંગ ‘‘નૈતિક નાગડાનો દાંડિયા રાસ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

ઓરવાડથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયા

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

vartmanpravah

દમણ અને દાનહમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

Leave a Comment