March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીના વ્‍યાક્‍તિ પાસે વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરનાર ખૂંધના શખ્‍સ સામે પોલીસે ગુનો નોંધ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.31: ચીખલી નજીકના સમરોલીના વ્‍યક્‍તિ પાસે અવારનવાર વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરી નાલાયક ગાળો આપનાર ખૂંધ ગામના શખ્‍સ સામે પોલીસે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી શાંતિલાલ સોમજીભાઈ પટેલ (રહે.સમરોલી ને.હા.નં-48 કચ્‍છ કડવા પાટીદાર સમાજની વાડીની બાજુમાં તા.ચીખલી) કે જેઓ ઘરની બાજુમાં કચ્‍છ વિજય સો મિલ નામનો બેન્‍ડસો ચલાવે છે. તેમના મોટા દીકરાના 29 નવેમ્‍બર 22 ના રોજ લગ્ન નક્કી કરેલ હોય અને લગ્ન પ્રસંગ માટે પૂરતા રૂપિયા ન હોય વ્‍યાજે લેવાનું નક્કી કરી વ્‍યાજે નાણા આપતા વિજય અશોકભાઈ જાદવ (રહે.જલારામ સોસાયટી ખૂંધ તા.ચીખલી) નો સંપર્ક કરતા તેમણે ખુદમાં રોયલ પ્‍લાઝા શોપિંગ સેન્‍ટરમાં તેની ઓફિસે 16 નવેમ્‍બર 22ના રોજ જતા અને રૂા.17,00,000/- વ્‍યાજે આપવાની માંગણી કરતા તેમને હા પાડેલપરંતુ તેની માંગણી અનુસાર સિકયુરિટી પેટે શાંતિલાલ પટેલે તેમના પિતાના નામે સમરોલીમાં આવેલ મકાનનો વેચાણ સાતાખત લખી આપી બેન્‍ક ઓફ ઈન્‍ડિયાના તેમના ખાતાના આઠ જેટલા કોરા ચેક પર સહી કરી આપ્‍યા હતા. બાદમાં માસિક રૂા.1,70,000/- વ્‍યાજ નક્કી કરી 17 લાખ રૂપિયા આપ્‍યા હતા. અને તેમાંથી પ્રથમ હપ્તાના રૂા.1,70,000/- કાપી લીધા હતા.
ઉપરોક્‍ત વ્‍યાજ ખૂબ વધારે હોય અને આર્થિક સ્‍થિતિ સારી ન હોય ત્‍યારબાદના વ્‍યાજના હપ્તાના નાણાં ચૂકવી ન શકતા અવાર-નવાર વ્‍યાજની ઉઘરાણી કરી નાલાયક ગાળો આપતો હોવા મુજબની ફરિયાદમાં પોલીસે વિજય અશોક જાદવ (રહે.જલારામ સોસાયટી ખૂંધ તા.ચીખલી) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related posts

રાનકુવામાં ધોળે દિવસે તસ્‍કરોએ બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રૂા. 1.89 લાખની મત્તાની કરેલી ચોરી

vartmanpravah

વલસાડ શેઠીયા નગર નવરાત્રી મહોત્‍સવમાં યુવાન ઉપર બહારના યુવાને ચપ્‍પુથી હુમલો કર્યો

vartmanpravah

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

વાપી હાઈવે સર્વિસ રોડ ઉપર ખનકી-ગટર પાસે સેફટી દિવાલ બનાવવાની ઉઠેલી માગ

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં ઝેરી દવા પી ને એક જ પરિવારના ચાર સભ્‍યોએ સામુહિક આપઘાતની કોશિષ કરી

vartmanpravah

આ તે કેવી ભક્‍તિ ? ઉત્‍સવ પૂર્ણ થાય બાદ શ્રીજીની દુર્દશા : ચીખલીમાં ગણેશજીની દસ દિવસ પૂજા-અર્ચના તો કરી પરંતુ વિસર્જન યોગ્‍ય ન કર્યું

vartmanpravah

Leave a Comment