Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીના વ્‍યાક્‍તિ પાસે વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરનાર ખૂંધના શખ્‍સ સામે પોલીસે ગુનો નોંધ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.31: ચીખલી નજીકના સમરોલીના વ્‍યક્‍તિ પાસે અવારનવાર વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરી નાલાયક ગાળો આપનાર ખૂંધ ગામના શખ્‍સ સામે પોલીસે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી શાંતિલાલ સોમજીભાઈ પટેલ (રહે.સમરોલી ને.હા.નં-48 કચ્‍છ કડવા પાટીદાર સમાજની વાડીની બાજુમાં તા.ચીખલી) કે જેઓ ઘરની બાજુમાં કચ્‍છ વિજય સો મિલ નામનો બેન્‍ડસો ચલાવે છે. તેમના મોટા દીકરાના 29 નવેમ્‍બર 22 ના રોજ લગ્ન નક્કી કરેલ હોય અને લગ્ન પ્રસંગ માટે પૂરતા રૂપિયા ન હોય વ્‍યાજે લેવાનું નક્કી કરી વ્‍યાજે નાણા આપતા વિજય અશોકભાઈ જાદવ (રહે.જલારામ સોસાયટી ખૂંધ તા.ચીખલી) નો સંપર્ક કરતા તેમણે ખુદમાં રોયલ પ્‍લાઝા શોપિંગ સેન્‍ટરમાં તેની ઓફિસે 16 નવેમ્‍બર 22ના રોજ જતા અને રૂા.17,00,000/- વ્‍યાજે આપવાની માંગણી કરતા તેમને હા પાડેલપરંતુ તેની માંગણી અનુસાર સિકયુરિટી પેટે શાંતિલાલ પટેલે તેમના પિતાના નામે સમરોલીમાં આવેલ મકાનનો વેચાણ સાતાખત લખી આપી બેન્‍ક ઓફ ઈન્‍ડિયાના તેમના ખાતાના આઠ જેટલા કોરા ચેક પર સહી કરી આપ્‍યા હતા. બાદમાં માસિક રૂા.1,70,000/- વ્‍યાજ નક્કી કરી 17 લાખ રૂપિયા આપ્‍યા હતા. અને તેમાંથી પ્રથમ હપ્તાના રૂા.1,70,000/- કાપી લીધા હતા.
ઉપરોક્‍ત વ્‍યાજ ખૂબ વધારે હોય અને આર્થિક સ્‍થિતિ સારી ન હોય ત્‍યારબાદના વ્‍યાજના હપ્તાના નાણાં ચૂકવી ન શકતા અવાર-નવાર વ્‍યાજની ઉઘરાણી કરી નાલાયક ગાળો આપતો હોવા મુજબની ફરિયાદમાં પોલીસે વિજય અશોક જાદવ (રહે.જલારામ સોસાયટી ખૂંધ તા.ચીખલી) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

કેન્‍દ્રિય રાજ્‍ય મંત્રી(આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય) કૌશલ કિશોરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. અને સેલવાસ ન.પા. દ્વારા આયોજીત લાભાર્થી સંમેલન સંપન્નઃ લાભાર્થીઓને ચેક અને કિટનું કરાયેલું વિતરણ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા ચીખલી-ગણદેવી સહિતના મત વિસ્‍તારોમાં સુકન્‍યા સમૃદ્ધિ યોજનામાં 800 જેટલી બાળાઓના ખાતાઓ ખોલી તેમના દ્વારા પ્રથમ પ્રીમિયની રકમ પણ જમા કરાવાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

vartmanpravah

Leave a Comment