October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીના વ્‍યાક્‍તિ પાસે વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરનાર ખૂંધના શખ્‍સ સામે પોલીસે ગુનો નોંધ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.31: ચીખલી નજીકના સમરોલીના વ્‍યક્‍તિ પાસે અવારનવાર વ્‍યાજના નાણાંની ઉઘરાણી કરી નાલાયક ગાળો આપનાર ખૂંધ ગામના શખ્‍સ સામે પોલીસે ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી શાંતિલાલ સોમજીભાઈ પટેલ (રહે.સમરોલી ને.હા.નં-48 કચ્‍છ કડવા પાટીદાર સમાજની વાડીની બાજુમાં તા.ચીખલી) કે જેઓ ઘરની બાજુમાં કચ્‍છ વિજય સો મિલ નામનો બેન્‍ડસો ચલાવે છે. તેમના મોટા દીકરાના 29 નવેમ્‍બર 22 ના રોજ લગ્ન નક્કી કરેલ હોય અને લગ્ન પ્રસંગ માટે પૂરતા રૂપિયા ન હોય વ્‍યાજે લેવાનું નક્કી કરી વ્‍યાજે નાણા આપતા વિજય અશોકભાઈ જાદવ (રહે.જલારામ સોસાયટી ખૂંધ તા.ચીખલી) નો સંપર્ક કરતા તેમણે ખુદમાં રોયલ પ્‍લાઝા શોપિંગ સેન્‍ટરમાં તેની ઓફિસે 16 નવેમ્‍બર 22ના રોજ જતા અને રૂા.17,00,000/- વ્‍યાજે આપવાની માંગણી કરતા તેમને હા પાડેલપરંતુ તેની માંગણી અનુસાર સિકયુરિટી પેટે શાંતિલાલ પટેલે તેમના પિતાના નામે સમરોલીમાં આવેલ મકાનનો વેચાણ સાતાખત લખી આપી બેન્‍ક ઓફ ઈન્‍ડિયાના તેમના ખાતાના આઠ જેટલા કોરા ચેક પર સહી કરી આપ્‍યા હતા. બાદમાં માસિક રૂા.1,70,000/- વ્‍યાજ નક્કી કરી 17 લાખ રૂપિયા આપ્‍યા હતા. અને તેમાંથી પ્રથમ હપ્તાના રૂા.1,70,000/- કાપી લીધા હતા.
ઉપરોક્‍ત વ્‍યાજ ખૂબ વધારે હોય અને આર્થિક સ્‍થિતિ સારી ન હોય ત્‍યારબાદના વ્‍યાજના હપ્તાના નાણાં ચૂકવી ન શકતા અવાર-નવાર વ્‍યાજની ઉઘરાણી કરી નાલાયક ગાળો આપતો હોવા મુજબની ફરિયાદમાં પોલીસે વિજય અશોક જાદવ (રહે.જલારામ સોસાયટી ખૂંધ તા.ચીખલી) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Related posts

નરોલીમાં એક આદિવાસી યુવકની હત્‍યાથી ચકચાર

vartmanpravah

ચીખલીના કુકેરી ગામની સેવા સહકારી મંડળીમાં વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍યોની યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ડિરેક્‍ટરોનો વિજય

vartmanpravah

પારડી હાઈવે વલ્લભ આશ્રમ સામે યુવાનનું બાઈક ગ્રીલ સાથે ભટકાતા ઘટના સ્‍થળે મોત 36 વર્ષિય નિતિનભાઈ ગજેરાએ બાઈકનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વાપી ચણોદનો વિસ્‍તાર વરસાદી પાણીના યોગ્‍ય નિકાલના અભાવે પાણીમાં ગરકાવ

vartmanpravah

દમણ ડાભેલના તળાવમાં ડૂબી જતા એક બાળકનું મોત

vartmanpravah

રૂ. ૧૫ લાખના ખર્ચે વન સેવા મહા વિદ્યાલય બીલપુડીનું નવું મકાન બનાવાશે: નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment