(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : આંટિયાવાડના નવનિયુક્ત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલ આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આંટિયાવાડના નવનિયુક્ત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે તેમની મુલાકાત દરમિયાન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાથે આંટિયાવાડ ગામના સર્વાંગી વિકાસ માટેની કામના કરી હતી.