Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.02: સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ દશરથભાઈ સામે ડેપ્‍યુટી સરપંચ સંજયભાઈ, વોર્ડ સભ્‍ય સુભાષભાઈ વર્મા સહિત સાત જેટલા સભ્‍યો દ્વારા વિવિધ કારણો રજૂ કરી અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. ઉપરોક્‍ત અવિશ્વાસની દરખાસ્‍ત નિયત નમૂનામા ન હોય ટીડીઓ દ્વારા આ અવિશ્વાસની દરખાસ્‍ત ફગાવી દેવામાં આવતા અવિશ્વાસની દરખાસ્‍તનું સૂરસૂરિયું થઈ ગઈ હોવાની વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ચર્ચાનો વિષય બનવા પામ્‍યો છે અને કેટલાક સરપંચના સમર્થકોએ અફવા વધુને વધુ ફેલાઈ તેમાં કચાશ ન છોડી આનંદ લેતા આ સમગ્ર બાબતે સ્‍થાનિક રાજકારણ ગરમાયું હતું. જોકે કહેવાતા કેટલાક આગેવાનોને નિયતની જાણકારીન હશે કે પછી અવિશ્વાસની દરખાસ્‍ત કરનારા સભ્‍યોનું મોરલ તોડવા જાણકારી હોવા છતાં અજાણહોવાનો ઢોંગ કર્યો હોય તેમ લાગે છે.
સાદકપોર ગ્રામ પંચાયતની ગત ચૂંટણીમાં વર્તમાન સરપંચ સામેની પેનલના સભ્‍યો વધુ સંખ્‍યામાં ચૂંટાઈ આવતા આ સરપંચ સામેની પેનલનો સભ્‍ય જ હાલે ડેપ્‍યુટી સરપંચ પણ છે. આ સ્‍થિતિમાં સાત જેટલા બહુમત સભ્‍યોએ તેઓને સરપંચ વિશ્વાસમાં લીધા વિના કામ કરતો હોવા સહિતના વિવિધ કારણો રજૂ કરી અવિશ્વાસની દરખાસ્‍ત ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની વાત ખોટી અને માત્ર અફવા જ હોવાનું બહાર આવ્‍યું છે.
ટીડીઓ ચેતનભાઈ દેસાઈના જણાવ્‍યાનુસાર સાદકપોરના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍ત નિયત નમૂનામાં આવેલી છે. હાલે તો પ્રિસાઈડિંગમાં છે. સરપંચે 15-દિવસમાં સામાન્‍ય સભા બોલાવવાની હોય છે. પરંતુ તેઓ ન બોલાવશે તો તાલુકા પંચાયત કક્ષાએથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

પારડી હાઇવે ઉપર મોડી રાત્રે કન્ટેનર અને બે ટેમ્પા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો

vartmanpravah

પ્રેસિડેન્‍ટ મોહમ્‍મદ નલવાલાના અધ્‍યક્ષ સ્‍થાને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લની મળી ચોથી બોર્ડ મિટિંગ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાનહ પ્રશાસને ભારે વરસાદ અને પૂરમાં અસરગ્રસ્‍ત બનેલા પરિવારોને તાત્‍કાલિક સમયસર રાહત સામગ્રી પહોંચાડી સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકામાં વિવિધ સ્‍થળોએ રાત્રિ સફાઈ યોજાઈ

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ અને દમણ બાર એસો.ના સંયુક્‍ત ઉપક્રમે દમણની સરકારી કોલેજમાં રેગિંગ વિરોધી કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ ખેરગામ રોડ ઉપર બે બાઈક ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

Leave a Comment