April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.02: સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ દશરથભાઈ સામે ડેપ્‍યુટી સરપંચ સંજયભાઈ, વોર્ડ સભ્‍ય સુભાષભાઈ વર્મા સહિત સાત જેટલા સભ્‍યો દ્વારા વિવિધ કારણો રજૂ કરી અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. ઉપરોક્‍ત અવિશ્વાસની દરખાસ્‍ત નિયત નમૂનામા ન હોય ટીડીઓ દ્વારા આ અવિશ્વાસની દરખાસ્‍ત ફગાવી દેવામાં આવતા અવિશ્વાસની દરખાસ્‍તનું સૂરસૂરિયું થઈ ગઈ હોવાની વાત ગામમાં વાયુવેગે પ્રસરતા ચર્ચાનો વિષય બનવા પામ્‍યો છે અને કેટલાક સરપંચના સમર્થકોએ અફવા વધુને વધુ ફેલાઈ તેમાં કચાશ ન છોડી આનંદ લેતા આ સમગ્ર બાબતે સ્‍થાનિક રાજકારણ ગરમાયું હતું. જોકે કહેવાતા કેટલાક આગેવાનોને નિયતની જાણકારીન હશે કે પછી અવિશ્વાસની દરખાસ્‍ત કરનારા સભ્‍યોનું મોરલ તોડવા જાણકારી હોવા છતાં અજાણહોવાનો ઢોંગ કર્યો હોય તેમ લાગે છે.
સાદકપોર ગ્રામ પંચાયતની ગત ચૂંટણીમાં વર્તમાન સરપંચ સામેની પેનલના સભ્‍યો વધુ સંખ્‍યામાં ચૂંટાઈ આવતા આ સરપંચ સામેની પેનલનો સભ્‍ય જ હાલે ડેપ્‍યુટી સરપંચ પણ છે. આ સ્‍થિતિમાં સાત જેટલા બહુમત સભ્‍યોએ તેઓને સરપંચ વિશ્વાસમાં લીધા વિના કામ કરતો હોવા સહિતના વિવિધ કારણો રજૂ કરી અવિશ્વાસની દરખાસ્‍ત ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની વાત ખોટી અને માત્ર અફવા જ હોવાનું બહાર આવ્‍યું છે.
ટીડીઓ ચેતનભાઈ દેસાઈના જણાવ્‍યાનુસાર સાદકપોરના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્‍ત નિયત નમૂનામાં આવેલી છે. હાલે તો પ્રિસાઈડિંગમાં છે. સરપંચે 15-દિવસમાં સામાન્‍ય સભા બોલાવવાની હોય છે. પરંતુ તેઓ ન બોલાવશે તો તાલુકા પંચાયત કક્ષાએથી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

નવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

vartmanpravah

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે દીવ ન.પા.ને જીતવા શરૂ કરેલા તેજ પ્રયાસો:  ન.પા.ના તમામ 13 વોર્ડના કાર્યકર્તાઓ સાથે યોજેલી બેઠક

vartmanpravah

વાપી હાઈવે ઉપર સતત વાહન ટક્કરથી બાઈક સવારના મોતનો બીજો બનાવ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં ચંદ્રગ્રહણ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝીટીવના 285 કેસ નોધાયાં : 1470 ઍકટિવ કેસ

vartmanpravah

Leave a Comment