February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના 69મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સંઘપ્રદેશ ભાજપ દ્વારા કાર્યાલય દમણ ખાતે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૬ : સામાજિક ન્યાયના પ્રણેતા, ભારતીય બંધારણના ઘડવૈયા વિશ્વ વિભૂતિ મહામાનવ ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના ૬૯મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં પાર્ટી કાર્યાલય દમણ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત ભાજપના તમામ પદાધિકારીઓઍ મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને નમન કર્યા હતા. ત્યારબાદ પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર શ્રી મજીદ લધાણીઍ મહામાનવ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવન પરિચય અને તેમના દ્વારા સમગ્ર માનવજાત માટે કરવામાં આવેલા સંઘર્ષપૂર્ણ કાર્યોને યાદ કરાયા હતા. આ અવસરે દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી મહેશ આગરિયા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી નવીનભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અસ્પી દમણિયા, પ્રદેશ મહિલા મોરચાની અધ્યક્ષા શ્રીમતી સિમ્પલબેન કાટેલા, પ્રદેશ મંત્રી શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ, શ્રી રજનીકાંત ટંડેલ, પ્રદેશ ઓબીસી મોરચાના મહામંત્રી શ્રી ભરત પટેલ, શ્રી પ્રમોદ દમણિયા સહિત જિલ્લા ભાજપ મોરચાના અને વિવિધ મંડળોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

સેલવાસ ઝંડાચોક પંડયા ટાવર નીચેથી સાયકલ ચોરી કરતો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

વાપી બલીઠામાં ગટરની કુંડીમાં ખાબકેલ આખલાને રેસ્‍ક્‍યુ કરી બચાવાયો

vartmanpravah

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહમાં ચોમાસા દરમિયાન મચ્‍છરજન્‍ય ડેન્‍ગ્‍યુ સહિતના રોગોનો ફેલાવો અટકાવવા બાંધકામ સાઇટ સુપરવાઇઝરોને આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

vartmanpravah

વાપી નૂતનનગરમાં વિજ કંપનીએ નડતરરૂપ ઝાડ કાપી જયાં ત્‍યા મૂકી રાખ્‍યા: સ્‍થાનિક રહિશો માટે ઝાડ નડતરરૂપ બની રહ્યા હોવાથી રોષ

vartmanpravah

Leave a Comment