October 14, 2025
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

નવચંડી યજ્ઞ, મહા આરતી, ઘેરીયા અને ગરબાને લઈ સમગ્ર પારડી નગર બન્‍યું ભક્‍તિમય
એકસરખા પરિધાનમાં સતત સેવા આપી રહેલ સમાજના યુવક યુવતીઓ રહ્યા આકર્ષણનું કેન્‍દ્ર : હજારો માતાજીના ભક્‍તોએ લીધોમહાપ્રસાદનો લાભ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03 : પારડી કંસારવાડ ખાતે આવેલ પેશ્વાઈ સમયનું પૌરાણિક એવું બહુચરા માતાજીના મંદિર ખાતે આજરોજ સુવર્ણ જયંતિ મહોત્‍સવનું આયોજન ખૂબ ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવ્‍યું હતું. ખૂબ મોટા પાયે આયોજિત આજનો આ સુવર્ણ જયંતી મહોત્‍સવ સવારથી જ આકર્ષણનું કેન્‍દ્ર રહ્યું હતું કારણ કે ઠંડીની મોસમમાં વહેલી સવારે મંડળના સ્‍વાધ્‍યાય મંડળના ઋષિ કુમારો દ્વારા સંપૂર્ણ સંસ્‍કળતમાં મંત્રોચ્‍ચાર કરી આજના આ મહોત્‍સવને જીવંત બનાવી સમગ્ર નગરને જાગ્રત કરી દીધું હતું.
ત્‍યારબાદ 21 જેટલા વિદ્વાન ભૂદેવો દ્વારા અલૌકિક અને દેવિક વાણી દ્વારા સવારથી લઈ સાંજ સુધી 15 જોડા યજમાનોને પૂજામાં જકળી રાખ્‍યા હતા તો બીજી તરફ આજના દિવસે કંસારા સમાજની આજના આ પ્રસંગની વ્‍યવસ્‍થા આંખે ઉડીને જોવા મળી હતી. સમગ્ર દિવસ દરમિયાન એક જ પરિધાનમાં સજજ સમાજના યુવક યુવતીઓ સતત સેવા આપી રહ્યા હતા. એક તરફ દર્શને આવતા દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન કરી રહ્યા હતા જ્‍યારે બીજી તરફ કંઈ પણ વિઘ્‍ન વિના યજ્ઞની પૂજા ચાલી રહી હતી જ્‍યારે આ બંનેથી થોડે દૂર મહાપ્રસાદની તૈયારીઓ પણ ચાલી રહી હતી. ખરેખર કંસારા સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્‍યુ હતું.
આમ સવારથી લઈસાંજ સુધી નવચંડી યજ્ઞ આરતી શિવલિંગ સ્‍થાપના સાંજે ઘેરીયા અને ગરબા જેવા અનેક કાર્યક્રમોનું ખૂબ સુંદર આયોજનને લઈ આજનો આ સુવર્ણ જયંતિ મહોત્‍સવની ખુબ સુંદર રીતે પુર્ણાહુતિ થઈ હતી.
કહેવત છે એમ, ઉગે તારો અને જમે કંસારો. એમ દિવસ દરમિયાનના આટલા પરિશ્રમ બાદ હજારો લોકોને મહાપ્રસાદ આપ્‍યા બાદ મોડી રાત્રે શરૂ કરવામાં આવેલ ગરબામાં પોતાનો તમામ થાક ભૂલી એટલા જ ઉત્‍સાહ અને આનંદથી સમાજના સર્વ ભક્‍તોએ અને યુવક યુવતીએ જોડાય ફરી એકવાર નવરાત્રી મહોત્‍સવની યાદ અપાવી સૌ ગરબે ઘૂમી આજની આ રાતને ખરેખરે સુવર્ણ બનાવી હતી.

Related posts

દીવના પદ્મશ્રી પ્રેમજીત બારીયાએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડ જિલ્લા સહિત રાજ્‍યમાં શિષ્‍યવૃત્તિ માટે ઈ-કેવાયસીના તઘલખી નિર્ણયથી વાલીઓ-વિદ્યાર્થીઓ કંટાળી ગયા, શિષ્‍યવૃત્તિ ટાળવા લાચાર

vartmanpravah

આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah

‘‘ગુજરાત રાજ્‍ય કક્ષા” એ વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજના એન.એસ.એસ. વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

રેડક્રોસ જિલ્લા વિકલાંગ પુનઃવર્સન કેન્‍દ્ર સેલવાસ ખાતે સાધન-સામગ્રીનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment