April 29, 2024
Vartman Pravah
ગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

નવચંડી યજ્ઞ, મહા આરતી, ઘેરીયા અને ગરબાને લઈ સમગ્ર પારડી નગર બન્‍યું ભક્‍તિમય
એકસરખા પરિધાનમાં સતત સેવા આપી રહેલ સમાજના યુવક યુવતીઓ રહ્યા આકર્ષણનું કેન્‍દ્ર : હજારો માતાજીના ભક્‍તોએ લીધોમહાપ્રસાદનો લાભ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03 : પારડી કંસારવાડ ખાતે આવેલ પેશ્વાઈ સમયનું પૌરાણિક એવું બહુચરા માતાજીના મંદિર ખાતે આજરોજ સુવર્ણ જયંતિ મહોત્‍સવનું આયોજન ખૂબ ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરવામાં આવ્‍યું હતું. ખૂબ મોટા પાયે આયોજિત આજનો આ સુવર્ણ જયંતી મહોત્‍સવ સવારથી જ આકર્ષણનું કેન્‍દ્ર રહ્યું હતું કારણ કે ઠંડીની મોસમમાં વહેલી સવારે મંડળના સ્‍વાધ્‍યાય મંડળના ઋષિ કુમારો દ્વારા સંપૂર્ણ સંસ્‍કળતમાં મંત્રોચ્‍ચાર કરી આજના આ મહોત્‍સવને જીવંત બનાવી સમગ્ર નગરને જાગ્રત કરી દીધું હતું.
ત્‍યારબાદ 21 જેટલા વિદ્વાન ભૂદેવો દ્વારા અલૌકિક અને દેવિક વાણી દ્વારા સવારથી લઈ સાંજ સુધી 15 જોડા યજમાનોને પૂજામાં જકળી રાખ્‍યા હતા તો બીજી તરફ આજના દિવસે કંસારા સમાજની આજના આ પ્રસંગની વ્‍યવસ્‍થા આંખે ઉડીને જોવા મળી હતી. સમગ્ર દિવસ દરમિયાન એક જ પરિધાનમાં સજજ સમાજના યુવક યુવતીઓ સતત સેવા આપી રહ્યા હતા. એક તરફ દર્શને આવતા દર્શનાર્થીઓ મંદિરમાં દર્શન કરી રહ્યા હતા જ્‍યારે બીજી તરફ કંઈ પણ વિઘ્‍ન વિના યજ્ઞની પૂજા ચાલી રહી હતી જ્‍યારે આ બંનેથી થોડે દૂર મહાપ્રસાદની તૈયારીઓ પણ ચાલી રહી હતી. ખરેખર કંસારા સમાજ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્‍યુ હતું.
આમ સવારથી લઈસાંજ સુધી નવચંડી યજ્ઞ આરતી શિવલિંગ સ્‍થાપના સાંજે ઘેરીયા અને ગરબા જેવા અનેક કાર્યક્રમોનું ખૂબ સુંદર આયોજનને લઈ આજનો આ સુવર્ણ જયંતિ મહોત્‍સવની ખુબ સુંદર રીતે પુર્ણાહુતિ થઈ હતી.
કહેવત છે એમ, ઉગે તારો અને જમે કંસારો. એમ દિવસ દરમિયાનના આટલા પરિશ્રમ બાદ હજારો લોકોને મહાપ્રસાદ આપ્‍યા બાદ મોડી રાત્રે શરૂ કરવામાં આવેલ ગરબામાં પોતાનો તમામ થાક ભૂલી એટલા જ ઉત્‍સાહ અને આનંદથી સમાજના સર્વ ભક્‍તોએ અને યુવક યુવતીએ જોડાય ફરી એકવાર નવરાત્રી મહોત્‍સવની યાદ અપાવી સૌ ગરબે ઘૂમી આજની આ રાતને ખરેખરે સુવર્ણ બનાવી હતી.

Related posts

વાપી મોરાઈ હાઈવે ઉપર વેફર ભરેલ કન્‍ટેનરમાં અચાનક આગ ભભૂકતા દોડધામ

vartmanpravah

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના ઘેલવાડ મંડળમાં બૂથ સશક્‍તિકરણ અંગે યોજાયેલ બેઠક

vartmanpravah

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

વાંસદા વનવિદ્યાલય હાઈસ્‍કૂલની વિદ્યાર્થીનીનું વરસાદમાં ઘર તૂટી પડતા સ્‍કૂલ પરિવાર મદદે દોડયો

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

Leave a Comment