January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભુખ્‍યાને બે ટંક મફત ભોજન માટે વાપી સલવાવમાં લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો


વાપી રેલ્‍વે યાર્ડમાં ટ્રસ્‍ટ દ્વારા કોરોના કાળથી આજપર્યન્‍ત દરરોજ સવાર, સાંજ 500 ઉપરાંત દરિદ્રનારાયણને ભોજન આપવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ ખાતે 4 ફેબ્રુઆરીને શનિવારના રોજ રાત્રીના 9 કલાકે લોકડાયરાનું આયોજન થયું હતું. વાપી ખાતે દરરોજ ભૂખ્‍યાને બે ટંકનું ભોજન કરાવતી સંસ્‍થા ‘‘મા જનમ ટ્રસ્‍ટ” તથા વિવિધ સેવાઓના પ્રકલ્‍પો ચલાવી ગરીબ આદિવાસી પરિવારના ઉત્‍થાન કરતી સંસ્‍થા શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના લાભાર્થે આયોજિત આ લોકડાયરામાં આંતરરાષ્‍ટ્રીય લોક ડાયરા કલાકાર ગીતા રબારી અને લોક ગાયક તેજદાન ગઢવી અને હાસ્‍ય કલાકાર સુખદેવ ધામેલીયા અને તેમની ટીમ લોકસાહિત્‍ય ગીતો તથા ભજન અને દુહા ચોપાઈની રમઝટ બોલાવી સામો બાધ્‍યો હતો.
ડાયરાની શરૂઆતમાં શ્રી સ્‍વામિનારાયણ પ્રિ-પ્રાયમરી સ્‍કૂલની વિદ્યાર્થી કશ્વી પટેલ નાની ગીતા રબારીની ઝાંખી કરાવતાં ખુદ લોક ગાયિકા પણ પ્રભાવિત થયા હતા. પૂજ્‍ય કપિલ સ્‍વામીજીએ સ્‍વાગત પ્રવચન કરી ત્રણેય કલાકાર અને તેમની ટીમનુ ઉષ્‍મા ભર્યુ સ્‍વાગત કર્યું હતું. લોક ગાયક તેજદાન ગઢવીએ ડાયરાની શરૂઆત કરી આગવી શૈલીમાં ભક્‍તિ સંગીતનાગીતો રજૂ કર્યા હતા. નવા જ ઢાળમાં હનુમાન ચાલીસા થકી રમઝટ જમાવી હતી. તે પછી સુખદેવ ધામેલીયાએ મર્મ અને ખડખડાટ હાસ્‍યની છોડ ઉડાવી હતી. લોક ગાયિકા ગીતા રબારીએ આલાપ સાથે જ સામો બાધ્‍યો હતો. રસીક દાતાઓ ઘોર ચઢાવી પરંપરાગત ડાયરા સંસ્‍કળતિને આગળ ધપાવી હતી. કાર્યક્રમમાં વલસાડ જિલ્લા તથા સંઘ પ્રદેશ સહિત મોટી સંખ્‍યામાં રસિકો ઉપસ્‍થિત રહ્યા હતાં.
વાપી રેલ્‍વે સ્‍ટેશન નજીક છેલ્લા કેટલાક વર્ષથી ‘‘મા જનમ ટ્રસ્‍ટ” ના માધ્‍યમથી દરરોજ બપોરે તથા રાત્રે બે સમયે વિના મુલ્‍યે ભરપેટ ભોજન વિતરણ કરવામાં આવે છે. આ ભોજનનો દરરોજ અંદાજે 700 લોકો લાભ લે છે. આ ભગીરથ કાર્યને કાયમ રાખવા માટે આર્થિક ભંડોળ ઉભું કરવા માટે આર્થિક ભંડોળ માટે તથા ગરીબ આદિવાસી પરિવાર માટે વિવિધ પ્રકલ્‍પો ચલાવી રહી હોય તે અવિરત રાખવા આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્‍યું હોય આ ડાયરામાં ઉપસ્‍થિત રહી સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી જેને દાતાઓનો સારો પ્રતિસાદ મળ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વન વિભાગ દ્વારા દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં 105 જેટલા ફણસનાવૃક્ષોનું કરેલું રોપણ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનો ઋણીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

દમણ પોલીસે સ્‍પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધાનો કરેલો પર્દાફાશઃ એક આરોપીની ધરપકડ

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરાયું

vartmanpravah

ચીખલીમાં ધાર્મિક સ્‍થળોના દબાણ મુદ્દે પ્રાંત અધિકારીની અવારનવારની બેઠક બાદ પણ નક્કર પરિણામનો જોવા મળેલો અભાવ

vartmanpravah

દીવ સરકારી કોલેજ તથા બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને ફાયર સેફટીની તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment