Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.ની પાણીની લાઈનમાં ભંગાણઃ છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણી બરબાદ

જળ એ જ જીવન અને પાણીનો બગાડી નહીં કરવા ભારત સરકાર દ્વારા ચલાવાતી જાગૃતિ ઝુંબેશનો સેલવાસ ન.પા.ના પાણી પુરવઠા વિભાગ દ્વારા થઈ રહેલો ભંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: જળ એ જ જીવન અને પાણીનો બગાડ નહીં કરવા માટે ભારત સરકાર ઠેરઠેર જાગૃતિ ઝુંબેશ ચલાવી રહી છે ત્‍યારે સેલવાસ નગરપાલિકાની પાણીની લાઈનમાં છેલ્લા બે દિવસથી ભંગાણ થવાના કારણે હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ નગરપાલિકાના ઝંડા ચોક વિસ્‍તારમાં પાવર હાઉસની બાજુમાં અંડર ગ્રાઉન્‍ડ પાણીની લાઈનમાં ભંગાણ થવાથી હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતાં નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, સેલવાસના કેટલાકવિસ્‍તારોમાં હજુ પણ પુરતું પાણી નહીં મળતું હોવાની વ્‍યાપક ફરિયાદ છે. ત્‍યારે વહેલી તકે પાણીની લાઈનમાં થતાં ભંગાણને દૂર કરી પાણીનો થતો બગાડ અટકાવે એવી આશા આમ લોકો રાખી રહ્યા છે.

Related posts

સરીગામ પંચાયતની મહત્‍વના નિર્ણય માટે મળેલી સામાન્‍ય સભામાં સરપંચના તમામ દાવ નિષ્‍ફળ

vartmanpravah

‘સેવા સપ્તાહ અંતર્ગત’ ભાજપ કડૈયા મંડળ પ્રમુખ જતીન પટેલ દ્વારા મહિલા આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર સંગઠન દમણના સ્‍વયં સેવક હર્ષિલ ભંડારીએ પ્રશાસકશ્રીની મુલાકાત કરી પોતાની સંસદ યાત્રાના રજૂ કરેલા અનુભવો

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

દાનહના મોરખલ ગામ ખાતેનો ઇન્‍ડિયન ઓઈલ પેટ્રોલ પમ્‍પ પ્રશાસને સીલ કર્યો

vartmanpravah

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

Leave a Comment