September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.ની પાણીની લાઈનમાં ભંગાણઃ છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણી બરબાદ

જળ એ જ જીવન અને પાણીનો બગાડી નહીં કરવા ભારત સરકાર દ્વારા ચલાવાતી જાગૃતિ ઝુંબેશનો સેલવાસ ન.પા.ના પાણી પુરવઠા વિભાગ દ્વારા થઈ રહેલો ભંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: જળ એ જ જીવન અને પાણીનો બગાડ નહીં કરવા માટે ભારત સરકાર ઠેરઠેર જાગૃતિ ઝુંબેશ ચલાવી રહી છે ત્‍યારે સેલવાસ નગરપાલિકાની પાણીની લાઈનમાં છેલ્લા બે દિવસથી ભંગાણ થવાના કારણે હજારો લીટર પાણી ગટરમાં વહી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સેલવાસ નગરપાલિકાના ઝંડા ચોક વિસ્‍તારમાં પાવર હાઉસની બાજુમાં અંડર ગ્રાઉન્‍ડ પાણીની લાઈનમાં ભંગાણ થવાથી હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને જાગૃત નાગરિકો દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થતાં નાગરિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે, સેલવાસના કેટલાકવિસ્‍તારોમાં હજુ પણ પુરતું પાણી નહીં મળતું હોવાની વ્‍યાપક ફરિયાદ છે. ત્‍યારે વહેલી તકે પાણીની લાઈનમાં થતાં ભંગાણને દૂર કરી પાણીનો થતો બગાડ અટકાવે એવી આશા આમ લોકો રાખી રહ્યા છે.

Related posts

વાપી નવા ગરનાળા પાસે રૂા.1.11 લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

પારડીથી ગાંજાના જથ્‍થા સાથે એક ઈસમની ધરપકડ કરતી એસ.ઓ.જી

vartmanpravah

દાનહ સાયલી ગામે 11 વર્ષનો બાળક નહેરમાં તણાઈ જતા મોત

vartmanpravah

ધરમપુરમાં સ્‍વામી વિવેકાનંદજીની 161મી જન્‍મજયંતીની રંગેચંગે ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પૂજાની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment