બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્પર્શતા મુદ્દાઓની કરાયેલી ચર્ચા-વિચારણાં
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.01 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે નવી દિલ્હી ખાતે દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આમુલાકાત દરમિયાન પ્રશાસકશ્રીએ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપ સાથે સંકળાયેલા વિવિધ અગત્યના મુદ્દાઓની પણ ચર્ચા-વિચારણાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંઘ સાથે કરી હતી.