October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

મહાશિવરાત્રિના અવસરે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં 108 દંપત્તિઓએ પાર્થિવ શિવલિંગની કરેલી પૂજા-અર્ચના

  • દમણ ન.પા.ના ચીફ ઓફિસર અરૂણ ગુપ્તા, પૂર્વ સાંસદ ગોપાલ દાદા, દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ નવિનભાઈ પટેલ સહિત ગણમાન્‍ય લોકોએ પણ લીધેલો લ્‍હાવો
  • ધર્મસિંધુ ટ્રસ્‍ટના ઉપક્રમે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં દમણના સુપ્રસિદ્ધ આચાર્ય સંજય પંડિતે સમજાવેલું દરિયા કિનારે શિવપૂજાનું મહત્‍વ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે શનિવારે શિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે શિવસિંધુ મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 108 દંપત્તિઓએ સામુહિક રીતે પાર્થિવ શિવલિંગનો શાષાોક્‍ત વિધિવિધાન સાથે અભિષેક કર્યો હતો.
મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે 10મા શિવસિંધુ મહોત્‍સવનો આરંભ દમણના સુપ્રસિદ્ધ આચાર્યશ્રી સંજય પંડિત દ્વારા શ્રી ધર્મસિંધુ ટ્રસ્‍ટના ઉપક્રમે આયોજીત શિવસિંધુ મહોત્‍સવમાં માટીના પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી 108 દંપત્તિઓએ શાષાોક્‍ત વિધિથી પૂજા-અર્ચના કર્યા બાદ સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્‍યું હતું.
દમણના સમુદ્ર કિનારે લાઈટ હાઉસ બીચ ખાતે બનાવવામાં આવેલ આકર્ષક પંડાલથી સમગ્ર વિસ્‍તાર શિવમય બની ગયો હતો. આ કાર્યક્રમમાં દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી અરૂણ ગુપ્તા, દમણ જિલ્લાપંચાયતના પૂર્વ અધ્‍યક્ષ શ્રી નવિનભાઈ પટેલ સહિત અનેક ગણમાન્‍ય વ્‍યક્‍તિઓએ ભાગ લીધો હતો.
દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ પણ શિવસિંધુ મહોત્‍સવમાં ઉપસ્‍થિત રહી આરતીનો લાભ લીધો હતો.

Related posts

વલસાડ જિલ્લાના વેલવાચ, મનાઈચોંઢી અને તિસ્કરી તલાટના 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું 

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્‍તાના વિસ્‍તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર

vartmanpravah

વાપી પત્રકાર વેલ્‍ફેર એસો. આયોજીત ત્રિ-દિવસીય નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો દબદબાપૂર્વક પ્રારંભ

vartmanpravah

વાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારી

vartmanpravah

બિહારના મુખ્‍યમંત્રી નીતીશ કુમાર ભ્રષ્‍ટાચારના વિરૂદ્ધ ઝીરો ટોલરન્‍સની નીતિ ધરાવતા સમગ્ર દેશમાં એકમાત્ર નેતાઃ ધર્મેશસિંહ ચૌહાણ, દાનહ-દમણ-દીવ પ્રદેશ જનતાદળ(યુ) પ્રમુખ

vartmanpravah

Leave a Comment