April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના તલાવચોરમાં તળાવમાંથી મળેલ યુવતિની લાશના બનાવમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના તલાવચોરામાં લગ્નના ચાર દિવસ પૂર્વે 22-વર્ષીય યુવતીની તળાવમાંથી રહસ્‍યમય સંજોગોમાં લાશ મળી આવવાના બનાવમાં પોલીસ સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ કરી રહી છે. જોકે તપાસનો મુખ્‍ય મદાર યુવતીનો મોબાઈલ ફોન અને પીએમ રિપોર્ટ પર રહેશે.
પ્રાપ્ત વિગત મુજબ તલાવચોરા ગામના રાજા ફળીયાની પ્રિયંકાબેન ધીરૂભાઈ આહીર (ઉ.વ-22) ના લગ્ન આગામી 23-મી ના રોજ ધરમપુરના ભાભા ગામના યુવક સાથે યોજાનાર હતા. આ પૂર્વે રવિવારના પ્રિયંકાબેનની લાશ તેની ઘરની પાછળ આવેલ તળાવના પાણીમાંથી મળી આવી હતી. અને તેણીનો મોબાઈલ ફોન પણ પાણીમાંથી મળી આવ્‍યો હતો. જોકે મોબાઈલ ફોન ફોરમેટ કરી દેવાતા પ્રાથમિક તપાસમાં પોલીસને કંઈ હાથ લાગ્‍યું ન હતું. બીજી તરફ આ યુવતીના મોત પાછળ અનેક રહસ્‍યો વચ્‍ચે પોલીસે અત્‍યાર સુધીમાં પરિવારના સભ્‍યો સહિત સાતેક જેટલાના નિવેદનો લઈ તપાસ હાથ ધરી છે. જોકે તપાસનો મુખ્‍ય મદાર તો મોબાઈલ ફોન અને પીએમ રિપોર્ટ જ રહેશે. મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ઉડાવી દેવામાં આવેલા હોય તેવામાં આ ડેટા ખેરખરકોણે ડીલીટ કર્યા હશે? યુવતીએ આ અંતિમ પગલંું જાતે ભયું હશે કે પછી કોઈકે તેને આ માટે લાચાર કરી હશે કે પછી આ બનાવના સમયે તેની સાથે કોઈ હોય અને તેણે પાણીમાં ધક્કો માર્યો હોય તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યા છે.
પોલીસ દ્વારા મોબાઈલ કબ્‍જે લઈ સાઈબર શાખામાં ડેટા રિકવર કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે. ત્‍યારે ડેટા રિકવર થશે તો છેલ્લે આ યુવતી સાથે કોણ સંપર્કમાં હતું તે અને લોકેશન સહિતની વિગતો બહાર આવશે અને પીએમ રિપોર્ટ આવ્‍યા બાદ આ યુવતીના મોત પાછળના રહસ્‍યો ખુલે તેમ જણાઈ રહ્યું છે. ત્‍યારે આ અંગે પોલીસ ગંભીરતા દાખવી તટસ્‍થ તપાસ કરી સાચી હકીકત બહાર લાવે તે જરૂરી છે.

Related posts

ધોડીપાડા ખાતે મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં બેઠક મળી:  ઉમરગામ તાલુકામાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે

vartmanpravah

સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ગાયનોકોલોજી વિભાગના સર્જનોને મળી વધુ એક સફળતા

vartmanpravah

દાનહના સામરવરણી ગામમાં દિપડાએ એક ખેડૂતના કોઢારમાં બાંધેલ વાછરડા ઉપર કરેલો હૂમલોઃ ગ્રામજનોમાં ફફડાટ

vartmanpravah

ઉદવાડા રેલવે ફાટક ઉપર વહેલી સવારે જ્‍વલનશીલ કેમીકલ ભરેલ ટેન્‍કરમાં આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

પારડીના બાલદામાં હાથમાં ત્રિશુલ અને સ્‍ટારના છુંદણા છપાવેલ ડી કમ્‍પોઝ થયેલ યુવાનસ્ત્રીના મળેલ મૃતદેહનું રહસ્‍ય અંકબંધ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહઅને દમણ-દીવને ભારત સરકાર દ્વારા રૂા.250 કરોડની ભેટ દાનહના રખોલી-ખડોલી-વેલુગામ રોડની ફોરલેન યોજના મંજૂર : સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રૂા.163 કરોડની ફાળવણી

vartmanpravah

Leave a Comment