October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના માજી સાંસદ હૃદયસ્‍થ મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનુ તા. 21મી ફેબ્રુઆરીના રોજ પ્રારંભ કરવામાં આવશે. આ પાવન અવસરે પૂર્ણ પુરૂષોત્તમના પરમ ભક્‍ત અને વૈશ્વિક સંત ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી શરદભાઈ વ્‍યાસ વ્‍યાસપીઠ પર બિરાજી સ્‍વયંની અલૌકિક મધુરવાણી દ્વારા જ્ઞાનગંગાને વહેતી કરશે. આ શ્રીમદ્‌ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્‍સવમાં પોથીયાત્રા 21મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1 વાગે સાંઈબાબા મંદિર સાયલીથી નીકળી કથા સ્‍થળ ડેલકર ફાર્મ પર આવશે. ત્‍યારબાદ કથા પ્રારંભ કરાશે. આ શ્રીમદ્‌ ભાગવત કથા દરમ્‍યાન રામ જન્‍મ, કળષ્‍ણ જન્‍મોત્‍સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહનું પણ આયોજન કરવામાં આવશે. કથા વિરામ તા. 27મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. કથાનો સમય બપોરે 3.00 વાગ્‍યાથી સાંજે 6.00 વાગ્‍યા દરમ્‍યાનનો રહેશે. આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિકભક્‍તોને પધારવા ડેલકર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

ચીખલી પોલીસે મલવાડાથી દારૂ સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ તરીકે વર્ષિકાબેન પટેલની વરણીઃ શિક્ષણ આલમમાં ઉત્‍સાહનું વાતાવરણ

vartmanpravah

‘વિશ્વ આદિવાસી અધિકાર દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લા આદિવાસી સમાજે પદયાત્રા કાઢી પોતાના અધિકાર માટે બતાવેલી જાગૃતિ

vartmanpravah

આજે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી : છેવટે નવિનભાઈ પટેલના નસીબ આડેનું પાંદડું હટે એવી સંભાવના

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘નેબરહુડ યુથ પાર્લામેન્‍ટ’ યોજાઈ

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

Leave a Comment