(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના માજી સાંસદ હૃદયસ્થ મોહનભાઈ ડેલકરના પુણ્ય સ્મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનુ તા. 21મી ફેબ્રુઆરીના રોજ પ્રારંભ કરવામાં આવશે. આ પાવન અવસરે પૂર્ણ પુરૂષોત્તમના પરમ ભક્ત અને વૈશ્વિક સંત ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી શરદભાઈ વ્યાસ વ્યાસપીઠ પર બિરાજી સ્વયંની અલૌકિક મધુરવાણી દ્વારા જ્ઞાનગંગાને વહેતી કરશે. આ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં પોથીયાત્રા 21મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1 વાગે સાંઈબાબા મંદિર સાયલીથી નીકળી કથા સ્થળ ડેલકર ફાર્મ પર આવશે. ત્યારબાદ કથા પ્રારંભ કરાશે. આ શ્રીમદ્ ભાગવત કથા દરમ્યાન રામ જન્મ, કળષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહનું પણ આયોજન કરવામાં આવશે. કથા વિરામ તા. 27મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. કથાનો સમય બપોરે 3.00 વાગ્યાથી સાંજે 6.00 વાગ્યા દરમ્યાનનો રહેશે. આ શ્રીમદ્ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિકભક્તોને પધારવા ડેલકર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.