June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: દાદરા નગર હવેલીના માજી સાંસદ હૃદયસ્‍થ મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનુ તા. 21મી ફેબ્રુઆરીના રોજ પ્રારંભ કરવામાં આવશે. આ પાવન અવસરે પૂર્ણ પુરૂષોત્તમના પરમ ભક્‍ત અને વૈશ્વિક સંત ભાગવતાચાર્ય પ.પૂ. શ્રી શરદભાઈ વ્‍યાસ વ્‍યાસપીઠ પર બિરાજી સ્‍વયંની અલૌકિક મધુરવાણી દ્વારા જ્ઞાનગંગાને વહેતી કરશે. આ શ્રીમદ્‌ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ મહોત્‍સવમાં પોથીયાત્રા 21મી ફેબ્રુઆરીના રોજ બપોરે 1 વાગે સાંઈબાબા મંદિર સાયલીથી નીકળી કથા સ્‍થળ ડેલકર ફાર્મ પર આવશે. ત્‍યારબાદ કથા પ્રારંભ કરાશે. આ શ્રીમદ્‌ ભાગવત કથા દરમ્‍યાન રામ જન્‍મ, કળષ્‍ણ જન્‍મોત્‍સવ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહનું પણ આયોજન કરવામાં આવશે. કથા વિરામ તા. 27મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. કથાનો સમય બપોરે 3.00 વાગ્‍યાથી સાંજે 6.00 વાગ્‍યા દરમ્‍યાનનો રહેશે. આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિકભક્‍તોને પધારવા ડેલકર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

Related posts

વાપી, ઉમરગામ, કપરાડા 5 મંડળોમાં ભાજપ પ્રમુખપદ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ બરકરાર: હવે સંઘપ્રદેશના આકાશને આંબતા વિકાસને કોઈ રોકી નહી શકે

vartmanpravah

વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્‍યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્‍ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્‍ટર ‘‘શ્રેષ્‍ઠ”નું કરાયેલું લોન્‍ચીંગ

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતના પગલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ જિલ્લામાં વિવિધ વિકાસ યોજનાઓનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વલસાડના તીઘરા ગામના ગરીબ પરિવારના યુવકે પી.એચ.ડી. કરી સિધ્‍ધી મેળવી

vartmanpravah

દક્ષિણ વિભાગ કોળી સમાજ દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ ગામોમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

Leave a Comment