January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

સફળ પ્રાકૃતિક ખેતી માટે પાંચ આયામનો ઉપયોગ કરવો જરૂરીઃ જિલ્લા ખેતીવાડી અધિકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: પ્રાકળતિક ખેતીનો વ્‍યાપ વધે અને ખેડૂતોની આવક વધે, જમીન બગડતી અટકે તથા માનવીનું સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણને નુકસાન ન થાય તેવા ઉમદા હેતુથી વલસાડ જિલ્લાના ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તેવા પ્રયાસોવહીવટીતંત્ર દ્વારા થઈ રહ્યા છે. જે અંતર્ગત ગત તા.16-02-2023ના રોજ વલસાડ તાલુકાના વલંડી ગામમાં પ્રાકળતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ હતી.
ખેતી અને પશુપાલન વ્‍યવસાય સાથે જોડાયેલી વલંડી ગામની 45 જેટલી બહેનોએ પ્રાકળતિક ખેતીની તાલીમ લીધી અને જીવામૃત કઈ રીતે બનાવવું તે જાતે શીખ્‍યા હતા. તાલીમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્‍યું કે, પ્રાકળતિક ખેતીના પાંચ આયામનો ઉપયોગ કરવો જરૂરી છે. જેમાં (1) જીવામૃત (2) બીજામૃત (3) આચ્‍છાદન (4) વાફસા (5) આંતરપાકનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં આત્‍માના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર ધીરેનભાઈ પટેલે જણાવ્‍યું કે, પ્રાકળતિક ખેતી એટલે કુદરતી સંસાધનનો ભરપુર ઉપયોગ, બજાર બહારથી ખરીદી કર્યા વિના પોતાના ખેતર અથવા ગામમાંથી લાવી વસ્‍તુનો ઉપયોગ કરવો. પ્રાકળતિક ખેતીમાં ઉપયોગ લેવાની સાધન સામગ્રી જીવ, જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન કરતા ન હોવા જોઈએ. જિલ્લા સંયોજક અને કોચવાડા ગામના રહીશ નિકુંજભાઈ એચ. ઠાકોરે એમના જાત અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું અને વલંડી ગામ પ્રાકળતિક ખેતી કરતું આદર્શ ગામ બનશે અને આજુબાજુના ગામો પણ પ્રેરણા જરૂરથી લેશે એવી આશા વ્‍યક્‍ત કરી હતી. આ પ્રસંગે ગામના સરપંચ કુસુમબેન,કમળાબેન, ખેડૂત મિત્ર રતિલાલભાઈ, વિજયભાઈ, મધુબેન, વિસ્‍તરણ અધિકારીઓ, ગ્રામસેવક જતીનભાઈ, મહેશ્વરીબેન, ભાવિકાબેન, કાલિન્‍દીબેન અને શીતલબેન હાજર રહ્યા હતા.

Related posts

વણાંકબારામાં એક પરિવારના તમામ સભ્‍યોને જીવતા સળગાવીને મારી નાખવા કરાયેલા પ્રયાસમાં દીવ પોલીસે આરોપીની કરેલી ધરપકડ: કોર્ટે 3 દિવસના મંજૂર કરેલા પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

દાનહ ખાતે તા.23મી જાન્‍યુઆરી, ર0રરના રોજ અન્‍ડર-19 હેન્‍ડ બોલ ખેલાડીનું સિલેક્‍શનનું આયોજન

vartmanpravah

દાદરા ગામે જૈન દેરાસરના 51મા ધ્‍વજારોહણ નિમિત્તે પાંચ દિવસીય અતિ ભવ્‍ય મહોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડ રેલવે પ્‍લેટફોર્મ ઉપર ચાલું ટ્રેનમાં ચઢવા જતા મુસાફરનું ટ્રેન-પ્‍લેટફોર્મ પટકાતા મોત

vartmanpravah

વલસાડમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા હરિનામ સકિર્તન યાત્રા યોજાઈઃ સેંકડો હરિભક્‍તો જોડાયા

vartmanpravah

આજે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્ર પટેલ વાપીમાં પધારશે

vartmanpravah

Leave a Comment