Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના વલંડી ગામમાં બહેનોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ

સફળ પ્રાકૃતિક ખેતી માટે પાંચ આયામનો ઉપયોગ કરવો જરૂરીઃ જિલ્લા ખેતીવાડી અધિકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.21: પ્રાકળતિક ખેતીનો વ્‍યાપ વધે અને ખેડૂતોની આવક વધે, જમીન બગડતી અટકે તથા માનવીનું સ્‍વાસ્‍થ્‍ય અને પર્યાવરણને નુકસાન ન થાય તેવા ઉમદા હેતુથી વલસાડ જિલ્લાના ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તેવા પ્રયાસોવહીવટીતંત્ર દ્વારા થઈ રહ્યા છે. જે અંતર્ગત ગત તા.16-02-2023ના રોજ વલસાડ તાલુકાના વલંડી ગામમાં પ્રાકળતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ હતી.
ખેતી અને પશુપાલન વ્‍યવસાય સાથે જોડાયેલી વલંડી ગામની 45 જેટલી બહેનોએ પ્રાકળતિક ખેતીની તાલીમ લીધી અને જીવામૃત કઈ રીતે બનાવવું તે જાતે શીખ્‍યા હતા. તાલીમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયાએ જણાવ્‍યું કે, પ્રાકળતિક ખેતીના પાંચ આયામનો ઉપયોગ કરવો જરૂરી છે. જેમાં (1) જીવામૃત (2) બીજામૃત (3) આચ્‍છાદન (4) વાફસા (5) આંતરપાકનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લામાં આત્‍માના પ્રોજેક્‍ટ ડાયરેક્‍ટર ધીરેનભાઈ પટેલે જણાવ્‍યું કે, પ્રાકળતિક ખેતી એટલે કુદરતી સંસાધનનો ભરપુર ઉપયોગ, બજાર બહારથી ખરીદી કર્યા વિના પોતાના ખેતર અથવા ગામમાંથી લાવી વસ્‍તુનો ઉપયોગ કરવો. પ્રાકળતિક ખેતીમાં ઉપયોગ લેવાની સાધન સામગ્રી જીવ, જમીન, પાણી અને પર્યાવરણને નુકસાન કરતા ન હોવા જોઈએ. જિલ્લા સંયોજક અને કોચવાડા ગામના રહીશ નિકુંજભાઈ એચ. ઠાકોરે એમના જાત અનુભવોનું આદાનપ્રદાન કર્યું હતું અને વલંડી ગામ પ્રાકળતિક ખેતી કરતું આદર્શ ગામ બનશે અને આજુબાજુના ગામો પણ પ્રેરણા જરૂરથી લેશે એવી આશા વ્‍યક્‍ત કરી હતી. આ પ્રસંગે ગામના સરપંચ કુસુમબેન,કમળાબેન, ખેડૂત મિત્ર રતિલાલભાઈ, વિજયભાઈ, મધુબેન, વિસ્‍તરણ અધિકારીઓ, ગ્રામસેવક જતીનભાઈ, મહેશ્વરીબેન, ભાવિકાબેન, કાલિન્‍દીબેન અને શીતલબેન હાજર રહ્યા હતા.

Related posts

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

ચીખલીના કુકેરી ગામે શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના યોગદાનથી નિર્માણ થનાર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

vartmanpravah

ચીખલી પોલીસે મલવાડાથી દારૂ સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

દાનહના નરોલીથી દિવ્‍યાબેન યોગેન્‍દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છે

vartmanpravah

Leave a Comment