Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

35 જેટલા કામદારોનો બાલબાલ બચાવ થયો :
સ્‍ટેયરીંગ અટકી જતા અકસ્‍માત સર્જાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર પાસે ઓવરબ્રિજ પાસે આજે મંગળવારે સવારે ખાનગી કંપનીની બસનો અકસ્‍માત સર્જાયો હતો. બસમાં સવાર 35 જેટલા કામદારો બાલ બાલ બચી ગયા હતા. અકસ્‍માતમાં કોઈ જાનહાની થવા પામી નહોતી.
ખાનગી કંપનીની બસ નં.જીજે 05 ઝેડ 0082 રાબેતામુજબ સવારે કામદારોને બેસાડીને કંપની તરફ જઈ રહી હતી ત્‍યારે વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે બસનું સ્‍ટેયરીંગ જામ થતા અટકી જતા ચાલકે બસ ઉપર કાબુ ગુમાવતા બસ રેલીંગ સાથે ભટકાઈ લટકી પડી હતી. બસમાં બેઠેલા 35 જેટલા કામદારો ભયભીત બની બુમાબુમ શરૂ કરી હતી. અકસ્‍માત બાદ સ્‍થાનિક લોકો એકઠા થઈ જતા તમામ કામદારોનું રેસ્‍ક્‍યુ કર્યું હતું. અકસ્‍માતમાં કામદારો બાલબાલ બચી ગયા હતા. રેલીંગમાં બસ અટકી નહોત તો પલટી મારી જતા મોટો ગંભીર અકસ્‍માત સર્જાયો હોત પરંતુ સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્‍માતમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી.

Related posts

દમણઃ કચીગામ ગ્રા.પં. દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં માંગેલવાડની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

વાપી સલવાવ હાઈવે બ્રિજ પાસેથી રૂા.5.80 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

બાળકો સંબંધિત સમસ્‍યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ અભિગમ સાથે સમસ્‍યાઓનો સામનો કરવા માટે ન્‍યાયતંત્રની પ્રક્રિયાને સમજવા માટે કલેક્‍ટર ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ અને માર્ગદર્શનમાં દીવના ફૂદમ પોલીસ મુખ્‍યાલયના સભાખંડમાં યોજાયેલી બેઠક

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા કેરિયર પસંદગીના સંદર્ભમાં આયોજીત કાઉન્‍સેલીંગ સેમિનાર એક અભિનવ પ્રયોગઃ આશિષ મોહન

vartmanpravah

ધરમપુરમાં બી.એસ.એફ. જવાનોનું ભવ્‍ય સન્‍માન સ્‍વાગત સાથે માકડબન ગામે ભવ્‍ય સન્‍માન

vartmanpravah

સેરેબ્રલ પાલ્‍સી સ્‍પોર્ટ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા અંતર્ગત ચંદીગઢ ખાતે આયોજીત નેશનલ સી.પી. તાઈક્‍વૉન્‍ડો ચેમ્‍પિયનશીપમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દિવ્‍યાંગ રમતવીરોએ મેળવેલી ઐતિહાસિક સિદ્ધિ

vartmanpravah

Leave a Comment