Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

35 જેટલા કામદારોનો બાલબાલ બચાવ થયો :
સ્‍ટેયરીંગ અટકી જતા અકસ્‍માત સર્જાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર પાસે ઓવરબ્રિજ પાસે આજે મંગળવારે સવારે ખાનગી કંપનીની બસનો અકસ્‍માત સર્જાયો હતો. બસમાં સવાર 35 જેટલા કામદારો બાલ બાલ બચી ગયા હતા. અકસ્‍માતમાં કોઈ જાનહાની થવા પામી નહોતી.
ખાનગી કંપનીની બસ નં.જીજે 05 ઝેડ 0082 રાબેતામુજબ સવારે કામદારોને બેસાડીને કંપની તરફ જઈ રહી હતી ત્‍યારે વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે બસનું સ્‍ટેયરીંગ જામ થતા અટકી જતા ચાલકે બસ ઉપર કાબુ ગુમાવતા બસ રેલીંગ સાથે ભટકાઈ લટકી પડી હતી. બસમાં બેઠેલા 35 જેટલા કામદારો ભયભીત બની બુમાબુમ શરૂ કરી હતી. અકસ્‍માત બાદ સ્‍થાનિક લોકો એકઠા થઈ જતા તમામ કામદારોનું રેસ્‍ક્‍યુ કર્યું હતું. અકસ્‍માતમાં કામદારો બાલબાલ બચી ગયા હતા. રેલીંગમાં બસ અટકી નહોત તો પલટી મારી જતા મોટો ગંભીર અકસ્‍માત સર્જાયો હોત પરંતુ સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્‍માતમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી.

Related posts

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

vartmanpravah

સાંસદ ઉમેશભાઈ પટેલે લોકસભામાં દમણ-દીવ સહિત ભારતના માછીમારોની પાકિસ્‍તાની જેલમાંથી છોડાવવા કરેલી બુલંદ રજૂઆત

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah

મરવડ ગ્રામ પંચાયતના માહ્યાવંશી ફળિયામાં સવારની ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

જૂના પ્રેમ પ્રકરણમાં મારામારી કરનારા ત્રણેયની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

દમણ લાયન્‍સ પરિવાર અને સિનિયર સિટીઝન કાઉન્‍સિલ દ્વારા ‘સિનિયર સિટીઝન ડે’ની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment