January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

35 જેટલા કામદારોનો બાલબાલ બચાવ થયો :
સ્‍ટેયરીંગ અટકી જતા અકસ્‍માત સર્જાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર પાસે ઓવરબ્રિજ પાસે આજે મંગળવારે સવારે ખાનગી કંપનીની બસનો અકસ્‍માત સર્જાયો હતો. બસમાં સવાર 35 જેટલા કામદારો બાલ બાલ બચી ગયા હતા. અકસ્‍માતમાં કોઈ જાનહાની થવા પામી નહોતી.
ખાનગી કંપનીની બસ નં.જીજે 05 ઝેડ 0082 રાબેતામુજબ સવારે કામદારોને બેસાડીને કંપની તરફ જઈ રહી હતી ત્‍યારે વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે બસનું સ્‍ટેયરીંગ જામ થતા અટકી જતા ચાલકે બસ ઉપર કાબુ ગુમાવતા બસ રેલીંગ સાથે ભટકાઈ લટકી પડી હતી. બસમાં બેઠેલા 35 જેટલા કામદારો ભયભીત બની બુમાબુમ શરૂ કરી હતી. અકસ્‍માત બાદ સ્‍થાનિક લોકો એકઠા થઈ જતા તમામ કામદારોનું રેસ્‍ક્‍યુ કર્યું હતું. અકસ્‍માતમાં કામદારો બાલબાલ બચી ગયા હતા. રેલીંગમાં બસ અટકી નહોત તો પલટી મારી જતા મોટો ગંભીર અકસ્‍માત સર્જાયો હોત પરંતુ સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્‍માતમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી.

Related posts

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાનહમાં સરકારી અને ખાનગી કોલેજના અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ નહીં મળતા કલેક્‍ટરને રજૂઆત : જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાએ વહેલામાં વહેલી તકે સ્‍કોલરશીપ મળે એવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

વાપી-કોપરલીથી વીરપુર યુવાનો પદયાત્રાએ જવા નિકળ્‍યાં

vartmanpravah

એસઆઈએની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ : સિનિયર મેમ્‍બરોએ બિન હરીફ પરિણામ લાવવા ચાલુ કરેલા પ્રયાસ

vartmanpravah

કાવ્‍ય સાધના મંચ વાપી દ્વારા ગુજરાત સ્‍થાપના દિનની પૂર્વ સંધ્‍યાએ કવિતા સરીતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment