December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યો

35 જેટલા કામદારોનો બાલબાલ બચાવ થયો :
સ્‍ટેયરીંગ અટકી જતા અકસ્‍માત સર્જાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર પાસે ઓવરબ્રિજ પાસે આજે મંગળવારે સવારે ખાનગી કંપનીની બસનો અકસ્‍માત સર્જાયો હતો. બસમાં સવાર 35 જેટલા કામદારો બાલ બાલ બચી ગયા હતા. અકસ્‍માતમાં કોઈ જાનહાની થવા પામી નહોતી.
ખાનગી કંપનીની બસ નં.જીજે 05 ઝેડ 0082 રાબેતામુજબ સવારે કામદારોને બેસાડીને કંપની તરફ જઈ રહી હતી ત્‍યારે વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે બસનું સ્‍ટેયરીંગ જામ થતા અટકી જતા ચાલકે બસ ઉપર કાબુ ગુમાવતા બસ રેલીંગ સાથે ભટકાઈ લટકી પડી હતી. બસમાં બેઠેલા 35 જેટલા કામદારો ભયભીત બની બુમાબુમ શરૂ કરી હતી. અકસ્‍માત બાદ સ્‍થાનિક લોકો એકઠા થઈ જતા તમામ કામદારોનું રેસ્‍ક્‍યુ કર્યું હતું. અકસ્‍માતમાં કામદારો બાલબાલ બચી ગયા હતા. રેલીંગમાં બસ અટકી નહોત તો પલટી મારી જતા મોટો ગંભીર અકસ્‍માત સર્જાયો હોત પરંતુ સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્‍માતમાં અન્‍ય કોઈ જાનહાની થવા પામી નહોતી.

Related posts

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં આજે નાની દમણની આનંદ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંરક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પોલીસ દ્વારા ડીડ મોબાઈલ એપ લોન્ચ કરાઈ

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

દાનહના સાયલી પંચાયત દ્વારા મહિલાઓને વર્મી કમ્‍પોઝ અને સેન્‍દ્રીય ખાતર બનાવવા માટે ટ્રેનિંગ અપાઈ

vartmanpravah

દાનહના ફલાંડી સરકારી શાળામાં આયોજીત ત્રી-દિવસીય ‘‘ફુટબોલના માધ્‍યમથી જીવન કૌશલ” તાલીમ કાર્યક્રમનું સમાપન

vartmanpravah

Leave a Comment