વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામ પંચાયત દીઠ 75 ખેડૂતો પ્રાકળતિક ખેતી કરતા થાય તે માટે આહવાન કર્યુ હતું તે મુજબ વલસાડ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા અને વલસાડ જિલ્લાના આત્મા પ્રોજેક્ટ દ્વારા વલસાડ તાલુકાના ઓઝર ગામમાં ગ્રામ પંચાયત ખાતે પ્રાકળતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એ.કે.ગરાસિયા, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ધીરેનભાઈ પટેલ, જિલ્લા સંયોજક નિકુંજસિંહ એચ. ઠાકોર અને મદદનીશ ખેતી નિયામક કોરાટભાઈએ હાજર રહી પ્રાકળતિક ખેતી અંગે 32 ખેડૂતોને તાલીમ આપી હતી. જેમાં ગામના સરપંચ જ્યોતિબેન, વિસ્તરણ અધિકારીશ્રી (ખેતી) તથા ગ્રામ સેવકો હાજર રહ્યા હતા.