Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પાકિસ્‍તાનની જેલોમાં બંધ દીવના માછીમારોને છોડાવવા પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના માછીમારો છેલ્લાં ઘણાં વર્ષોથી પાકિસ્‍તાનની જેલોમાં બંધ છે, જેને છોડાવવા દીવ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા માછીમારોના પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટરશ્રીને કરી રજૂઆત કરી હતી.
પાકિસ્‍તાનની જેલોમાં બંધ માછીમારોના પરિવારોએ દીવ જિલ્લા કલેક્‍ટરશ્રી રાહુલ દેવ બુરાને મળીને માંગ કરી હતીકે, પાકિસ્‍તાન જેલમાંથી બંધ અમારા સબંધી માછીમારોની કોઈ પણ ભાળ મળતી નથી, અને જાણવા મળ્‍યું છે કે ત્‍યાં અમારા પરિવારજનો ખૂબજ બિમાર છે અને હમણાં થોડા સમય પહેલા ગુજરાતના માછીમારો પાકિસ્‍તાન જેલમાં મૃત્‍યુ પણ પામ્‍યા હતા, જેથી પરિવારજનોમાં ખૂબજ ચિંતા છવાઈ છે, તો પાકિસ્‍તાન જેલમાં બંધક તેમના પરિવાર જલ્‍દીથી છૂટી અને માદરે વતન પહોંચે તેવી વિનંતી કરી હતી.
દરમિયાન દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજી ભીખા બામણીયા, ઉપ પ્રમુખ શ્રી હરેશ પાચા કાપડિયા, શહિદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચો શ્રીમતી દમયંતીબેન, સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કાન્‍તાબેન તથા સભ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાએ માંગણી પ્રમાણે ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવાની બાહેંધરી આપી હતી.

Related posts

સેલવાસ મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરાયું

vartmanpravah

નવરાત્રિમાં સેલવાસમાં મન મૂકીને ગરબે ઘૂમતા ખેલૈયા

vartmanpravah

રાજ્યો/સંઘપ્રદેશોને ૩૭.૪૩ કરોડથી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા

vartmanpravah

સંઘપ્રદેશના 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે દાનહ કોંગ્રેસ પ્રશાસકશ્રીને લખેલો પત્ર

vartmanpravah

વાપી બલીઠા રેલવે ટ્રેક નજીક અજાણ્‍યા યુવાનની લાશ મળી : શરીર ઉપર ઘા ના નિશાન થકી હત્‍યાની આશંકા

vartmanpravah

નાની દમણના કથિરીયા ખાતે પૈરામનોસ સ્‍પા સેન્‍ટરમાં ચાલી રહેલા દેહવેપારના અડ્ડાનો પોલીસે કરેલો પર્દાફાશ

vartmanpravah

Leave a Comment