April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પાકિસ્‍તાનની જેલોમાં બંધ દીવના માછીમારોને છોડાવવા પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાને કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.29 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લાના માછીમારો છેલ્લાં ઘણાં વર્ષોથી પાકિસ્‍તાનની જેલોમાં બંધ છે, જેને છોડાવવા દીવ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત તથા માછીમારોના પરિવારજનોએ જિલ્લા કલેક્‍ટરશ્રીને કરી રજૂઆત કરી હતી.
પાકિસ્‍તાનની જેલોમાં બંધ માછીમારોના પરિવારોએ દીવ જિલ્લા કલેક્‍ટરશ્રી રાહુલ દેવ બુરાને મળીને માંગ કરી હતીકે, પાકિસ્‍તાન જેલમાંથી બંધ અમારા સબંધી માછીમારોની કોઈ પણ ભાળ મળતી નથી, અને જાણવા મળ્‍યું છે કે ત્‍યાં અમારા પરિવારજનો ખૂબજ બિમાર છે અને હમણાં થોડા સમય પહેલા ગુજરાતના માછીમારો પાકિસ્‍તાન જેલમાં મૃત્‍યુ પણ પામ્‍યા હતા, જેથી પરિવારજનોમાં ખૂબજ ચિંતા છવાઈ છે, તો પાકિસ્‍તાન જેલમાં બંધક તેમના પરિવાર જલ્‍દીથી છૂટી અને માદરે વતન પહોંચે તેવી વિનંતી કરી હતી.
દરમિયાન દીવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામજી ભીખા બામણીયા, ઉપ પ્રમુખ શ્રી હરેશ પાચા કાપડિયા, શહિદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચો શ્રીમતી દમયંતીબેન, સાઉદવાડી ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી કાન્‍તાબેન તથા સભ્‍યો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. જિલ્લા કલેક્‍ટર રાહુલ દેવ બુરાએ માંગણી પ્રમાણે ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવાની બાહેંધરી આપી હતી.

Related posts

પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે વલસાડમાં વિકાસ પદયાત્રા નીકળીઃ ઘોડે સવાર પોલીસે આકર્ષણ જમાવ્‍યું

vartmanpravah

સુરત-વલસાડ જિલ્લા રોહિત સમાજનો ત્રિવિધ સન્‍માન યોજાયો, 137 પ્રતિભાનું સન્‍માન કરાયું

vartmanpravah

શીખ સમુદાયના બહાદુર બાળકોની શહાદતની યાદમાં 26 ડિસેમ્‍બરના દિવસને ‘વીર બાળ દિવસ’ જાહેર કરવા બદલ દમણ-દીવ શીખ સમાજે પીએમ મોદીનો માનેલો આભાર

vartmanpravah

વલસાડમાં સ્‍કૂલ જવાનું માતા દ્વારા કહેવામાં આવતા કિશોરે ટેરેસ પરથી મોતની છલાંગ લગાવી

vartmanpravah

દમણ પોલીસે મોટર સાયકલ ચોરી કરતા પાંચની કરેલી ધરપકડઃ 6 મોટર સાયકલ કબ્‍જે

vartmanpravah

વરસાદી માહોલમાં બીલીમોરા ખાતે તિરંગો લહેરાવતા પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

Leave a Comment