June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદમાં રો-હાઉસ બાંધકામ પરવાનગીથી વિપરીત હોવાની રાવ

કુબેર એન્‍ટરપ્રાઈઝનામની પેઢી દ્વારા કાર્યરત બાંધકામ કામગીરીમાં વિવાદ 12 મીટર વાઈડકીસ રોડ ઉપર દિવાલ દૂર કરવા રજૂઆત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ચણોદમાં એક રો-હાઉસના બાંધકામ સામે નિયમોની અનદેખી કરાયાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે. નગરનિયોજકની બાંધકામ પરમીશન મંજૂર કરાયેલ પ્‍લાન વિરુધ્‍ધ ગેરકાયદે બાંધકામ થતું હોવાની રાવ કલેક્‍ટરમાં કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોજે ચણોદ ગામે આવેલ સર્વે નં.441ના માલિક કુબેર એન્‍ટરપ્રાઈઝ નામની પેઢી દ્વારા આ જમીન એન.એ. માટે રજૂ કરાઈ હતી. તેથી વલસાડ કચેરી દ્વારા ચણોદ સર્વે નં.441 વાળી જમીન હુકમ નં.904/25/06/070/2019 તા.06/12/2019 થી સદર જમીન એન.એ. કરાઈ હતી. આ બાબતે નગર નિયોજક અને મુલ્‍યાંકન વિભાગ વલસાડ દ્વારા બાંધકામ હૂકમ નં.બીપી/ચણોદ/વાપી/2085 થી 2088 તા.30/10/2021 ના રોજ કરાયેલ છે. પરંતુ સ્‍થળ ઉપર ડેવલોપર દ્વારા મંજૂર પ્‍લાન નકશા વિરુધ્‍ધ-વિપરિત બાંધકામ કરી રહ્યાનું જણાઈ રહ્યું છે. નકશામાં દર્શાવ્‍યા પ્રમાણે 12 મીટર વાઈડ ક્રોસ ઓવર રોડ ઉપર દિવાલ ઉભી કરાયેલ છે તેથી આજુબાજુના રહિશો-ખેડૂતોનો રસ્‍તો બંધ થઈ ગયો છે તે શરતભંગ થતો હોવાથી ઓર્ડર રદ કરવાની લેખિત માંગણી કલેક્‍ટરશ્રીમાં તા.15/02/23ના રોજ જિ.પં. સભ્‍ય છીરીરેશ્‍માબેન મીથુનભાઈ હળપતિએ કરી છે અને લેખિત અરજીની સાથે તેમણે જરૂરી બિડાણ પણ રજૂ કરેલ છે તેથી સ્‍થાનિકોની માંગણી અને સમસ્‍યા ધ્‍યાને લઈ ઘટતું કરવાની વિનંતી જિ.પં. સભ્‍યશ્રીએ કરી છે.

Related posts

દાનહ કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંગે જિલ્લા સ્‍તરીય યોજાયેલી બેઠક

vartmanpravah

પારડીમાં 14 વર્ષના લગ્નજીવન બાદ એક પુત્રની માતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

ધરમપુરમાં નવી વિભાગીય વીજ કચેરીનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માત: વલસાડથી દમણ નોકરીએ જતા યુવકની કાર બે ટ્રક વચ્‍ચે સેન્‍ડવીચ બની જતા કમકમાટી ભર્યુ મોત

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ પોલીકેબ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રેસિડેન્‍ટ રમેશ કુંદનાનીના માર્ગદર્શન અને કુશળ નેતૃત્‍વમાં થયેલો આરંભ

vartmanpravah

સેલવાસના જિલ્લા અને સત્ર ન્‍યાયાધિશનો શિરમોર ચુકાદો નરોલીની એક કંપનીના માલિકના પુત્રના અપહરણ અને ખંડણીના કેસમાં 6 આરોપીઓને આજીવન જેલની સજા

vartmanpravah

Leave a Comment