April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્‍ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ મીઠુલભાઈ સામે ગ્રામ પંચાયતની સમિતિઓમાં સભ્‍યોને વિશ્વાસમાં લીધા સિવાય સભ્‍યોની નિમણૂક, વિકાસના કામો સમયસર ન થવા, પંચાયતની કામગીરી બાબતે અસભ્‍યતા પૂર્વકનું વર્તન સહિતના મુદ્દાઓ જણાવી આઠ જેટલા સભ્‍યો પૈકી સાત જેટલા વોર્ડ સભ્‍યો દ્વારા અવિશ્વાસની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી હતી. જેમાં સરપંચ દ્વારા નિયત સમય મર્યાદામાં સામાન્‍ય સભા ન યોજવામાં આવતા ટીડીઓ ચેતનભાઈ દેસાઈ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચને સોમવારના રોજ બપોરે 12 કલાકે વિસ્‍તરણ અધિકારી ભારતીબેનની ઉપસ્‍થિતિમાં સામાન્‍ય સભા યોજવાનો હુકમ કરવામાં આવ્‍યો છે.
ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત મામલે સામાન્‍ય સભા યોજવાનો હુકમ ટીડીઓ દ્વારા કરવામાં આવતા સ્‍થાનિક રાજકારણ ગરમાવા પામ્‍યું છે. જોકે અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થશે કે પછી સૂરસૂરિયું થશે તેનો ફેંસલો સોમવારના રોજ થશે.

Related posts

શ્રાવણ માસમાં માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી

vartmanpravah

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

કપરાડામાં મહિલા સહાયતા કેન્‍દ્રનું ઉદઘાટન કરાયું

vartmanpravah

ગુજરાતના રાજ્‍યકક્ષાના કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરી કપરાડાના આદિવાસી વિસ્‍તારમાં વર્ષોની પડતર સમસ્‍યાઓ હલ કરશે?

vartmanpravah

વાપી મેરેથોનમાં મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ દેગામનાં 23 દિવ્‍યાંગ બાળકોએ આત્‍મવિશ્વાસ અને ઉત્‍સાહ સાથે ભાગ લીધો

vartmanpravah

રેન્‍જ સુપા દ્વારા નવસારી તાલુકા કક્ષાના 75મા વનમહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment