February 5, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી નગરપાલિકાના ઘરવેરાવિભાગની ટીમે આજે ડુંગરા વિસ્‍તારમાં વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 23 મિલકતોને તાળાં મારી સ્‍થળ ઉપર જ રૂા.2.40 લાખની વસૂલાત કરી હતી. વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગે માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ વેરા વસૂલાત માટે ટીમો બનાવી કામગીરી સઘન કરી છે. તથા રજાના દિવસોમાં વેરો ભરી શકાય એવી વ્‍યવસ્‍થા ગોઠવી છે. પાલિકાની ટીમે આજે ડુંગરા વિસ્‍તારમાં વેરા વસૂલાત અભિયાન ચલાવ્‍યું હતું. અને દુકાનો તથા ઓફિસોને તાળાં મારી મિલકત માલિકોને વેરો ભરી જવા તાકીદ કરી હતી. ડુંગરા ખાતે આવેલ મુસા માર્કેટના બિલ્‍ડીંગો દારૂલ તકવા, દારૂલ મરવા, દારૂલ ઈમાન અને દારૂલ સફા ઉપરાંત ડુંગરી ફળિયામાં કે.જી.એન. પ્‍લાઝા, શ્રી સાઇશ્રધ્‍ધા પ્‍લાઝા વગેરે કોમ્‍પલેક્‍સના બાકીદારોને વેરો ભરવા અગાઉ નોટીસો આપવામાં આવી હતી. પરંતુ વેરો ના ભરતા કાર્યવાહી કરી હતી. જેમાંથી 6 બાકીદારોએ સ્‍થળ પર જ રૂા.1.40 લાખનો વેરો ભરી દીધો હતો. બાકીની 9 દુકાનો અને 14 ઓફિસોને સીલ મારવામાં આવ્‍યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ટેક્ષ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રાકેશ ઠક્કરની ટીમ વેરા વસૂલાતને વેગ આપી રહી છે. વાપી, ચલા અને ડુંગરાના બાકીદારોને કાર્યવાહીથી બચવા પોતાનો બાકી વેરો ભરી દેવાનગરપાલિકા દ્વારા વિનંતી થઈ છે. વાપી નગરપાલિકાએ રૂા.1726.79 લાખના માંગણા સામે રૂા.1384.88 લાખ વસૂલ કરી 80.20 ટકાની વસૂલાત કરી લીધી છે.

Related posts

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

શ્રીમદ્‌ રાજચંદ્ર હોસ્‍પિટલ ધરમપુરમાં કાર્ડિયેક રિહેબિલિટેશન કાર્યક્રમ – હૃદયરોગના દર્દીઓ માટે વરદાનરૂપ

vartmanpravah

વલસાડ જિલ્લાના સામાજિક, શૈક્ષણિક અને સેવાભાવી કાર્યકરોનું ગોવામાં સન્માન કરાયું

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આણંદ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કરી નેતૃત્‍વ અને પ્રબંધન વિકાસની તાલીમ

vartmanpravah

‘વિશ્વ પ્રવાસન દિવસ’ નિમિત્તે દમણમાં ‘ટ્રાવેલ ફોર લાઇફ પ્રોગ્રામ’નું કરાયું લોન્‍ચિંગ

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને લેન્‍ડલેસ આદિવાસીઓને ફાળવવામાં આવેલ પ્‍લોટોનું બોગસ વીલના આધારે થયેલ ખરીદ-વેચાણની શરૂ કરેલી તપાસ

vartmanpravah

Leave a Comment