April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પાલિકાએ ડુંગરામાં વેરા વસૂલાત અભિયાનમાં 9 દુકાનો અને 14 ઓફિસોને તાળાં માર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી નગરપાલિકાના ઘરવેરાવિભાગની ટીમે આજે ડુંગરા વિસ્‍તારમાં વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 23 મિલકતોને તાળાં મારી સ્‍થળ ઉપર જ રૂા.2.40 લાખની વસૂલાત કરી હતી. વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગે માર્ચ મહિનો શરૂ થતાની સાથે જ વેરા વસૂલાત માટે ટીમો બનાવી કામગીરી સઘન કરી છે. તથા રજાના દિવસોમાં વેરો ભરી શકાય એવી વ્‍યવસ્‍થા ગોઠવી છે. પાલિકાની ટીમે આજે ડુંગરા વિસ્‍તારમાં વેરા વસૂલાત અભિયાન ચલાવ્‍યું હતું. અને દુકાનો તથા ઓફિસોને તાળાં મારી મિલકત માલિકોને વેરો ભરી જવા તાકીદ કરી હતી. ડુંગરા ખાતે આવેલ મુસા માર્કેટના બિલ્‍ડીંગો દારૂલ તકવા, દારૂલ મરવા, દારૂલ ઈમાન અને દારૂલ સફા ઉપરાંત ડુંગરી ફળિયામાં કે.જી.એન. પ્‍લાઝા, શ્રી સાઇશ્રધ્‍ધા પ્‍લાઝા વગેરે કોમ્‍પલેક્‍સના બાકીદારોને વેરો ભરવા અગાઉ નોટીસો આપવામાં આવી હતી. પરંતુ વેરો ના ભરતા કાર્યવાહી કરી હતી. જેમાંથી 6 બાકીદારોએ સ્‍થળ પર જ રૂા.1.40 લાખનો વેરો ભરી દીધો હતો. બાકીની 9 દુકાનો અને 14 ઓફિસોને સીલ મારવામાં આવ્‍યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના માર્ગદર્શનમાં ટેક્ષ સુપ્રિન્‍ટેન્‍ડન્‍ટ રાકેશ ઠક્કરની ટીમ વેરા વસૂલાતને વેગ આપી રહી છે. વાપી, ચલા અને ડુંગરાના બાકીદારોને કાર્યવાહીથી બચવા પોતાનો બાકી વેરો ભરી દેવાનગરપાલિકા દ્વારા વિનંતી થઈ છે. વાપી નગરપાલિકાએ રૂા.1726.79 લાખના માંગણા સામે રૂા.1384.88 લાખ વસૂલ કરી 80.20 ટકાની વસૂલાત કરી લીધી છે.

Related posts

વલસાડ જિલ્લાના સરકારી કર્મચારીઓ પ્રત્‍યેક શનિવારે ઓફિસે ચાલતા કે સાયકલથી જશે તેવા નિર્ણયનો ફિયાસ્‍કો

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્તોને કુલ 1.19 કરોડની સહાય ચૂકવાઈ, સૌથી વધુ પુર અસરગ્રસ્ત વલસાડ તાલુકામાં 1.04 કરોડ ચૂકવાઈ

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં સોળે કળાએ ખિલેલું ભાજપનું કમળઃ જાગૃત જનતાએ તકસાધુઓને મારેલી લપડાક

vartmanpravah

હાર્દિક જોશીની કરાટે એકેડમીના વિદ્યાર્થીઓએ વાપીમાં સ્‍વચ્‍છ ભારત મિશન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધર્યું

vartmanpravah

ભિલાડ હાઈવે ઉપરથી 40 લાખનો ગેરકાયદેસરનો ગુટખાનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વાપી ચલામાં મા જનમ ટ્રસ્‍ટ દ્વારા શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવના સહયોગથી ‘‘રાસ રસિયા” નવરાત્રી મહોત્‍સવ ઉજવાશે

vartmanpravah

Leave a Comment