Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા આગ્રે તા.4થી માર્ચે સખીમંડળના પ્રોડક્‍ટ્‍સના પ્રદર્શન-વેચાણ મેળાને ખુલ્લો મુકશે

પ્રદર્શન મેળો તા.4 અને 5 માર્ચ દરમિયાન વલસાડના મોંઘાભાઈ હોલમાં યોજાશે, સવારે 10 થી રાત્રે 8 વાગ્‍યા સુધી ચાલુ રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

વલસાડ, તા.02: વલસાડ જિલ્લામાં હોળીપર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના અવસરરૂપે રાષ્‍ટ્રીય કળષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ગુજરાતનાં રીજનલ ઓફિસ દ્વારા તા.4 અને 5 માર્ચ, 2023ના રોજ ડો.મોઘાભાઈ હોલ, સ્‍ટેડિયમ રોડ ખાતે સ્‍વ સહાય જૂથો (સખી મંડળ) દ્વારા વલસાડમાં ઉત્‍પાદિત વસ્‍તુઓના પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવશે. જેનું ઉદ્ધાટન જિલ્લા કલેક્‍ટરશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે તા.4 માર્ચ, 2023ના રોજ સવારે 11-00 વાગ્‍યે કરશે. આ પ્રદર્શન બંને દિવસોએ સવારે 10-00 થી રાત્રે 8-00 વાગ્‍યા સુધી ચાલુ રહેશે.

આ પ્રદર્શન મેળાનું આયોજન વલસાડ અને આજુબાજુના જિલ્લાના સ્‍વ સહાયજૂથો દ્વારા ઉત્‍પાદન કરવામાં આવતી ચીજ વસ્‍તુઓને પ્રોત્‍સાહન મળી રહે એ હેતુથી કરવામાં આવ્‍યું છે. જેમાં હેન્‍ડીક્રાફટ, કોટન કુર્તી, ડ્રેસ મટિરીયલ, કોટન બેગ, સુકા મેવા, જ્‍યુટ બેગ, અગરબત્તી, મધ, પાપડ-પાપડી, જેવી અનેક અવનવી વસ્‍તુઓનું વેચાણ કરવામાં આવશે. વલસાડની જનતાએ સ્‍વ સહાય જૂથોની બહેનોને આ મેળાની મુલાકત લઈ પ્રોત્‍સાહિત કરવા માટે જિલ્લા વિકાસ પ્રબંધકે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

…અને પ્રશાસકશ્રીએ દમણના વેઈટ એન્‍ડ મેઝરમેન્‍ટ વિભાગના સંબંધિત અધિકારી-કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવાનો આદેશ કર્યો

vartmanpravah

સરીગામમાં આદિવાસીના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણની ચાલતી તડામાર તૈયારી

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણના નેતૃત્‍વમાં એક પ્રતિનિધિ મંડળે આસામના મુખ્‍યમંત્રી હેમંત બિશ્વા સરમાની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

શ્રી મહ્યાવંશી શિક્ષણ પ્રચારક સંઘની ટુકવાડામાં મિટીંગ યોજાઈ : કારોબારીની રચના જાહેર કરાઈ

vartmanpravah

વલસાડમાં સપ્તાહમાં બીજીવાર મોબાઈલ શોપમાં તસ્‍કરો હાથફેરો કરી ગયા

vartmanpravah

દમણ-દીવની સરકારી શાળાઓના સમયમાં કરાયેલા ફેરફારથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ફેલાયેલો આક્રોશઃ શિક્ષકોમાં પણ નારાજગી

vartmanpravah

Leave a Comment