July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ દ્વારા લોકોને છેતરપિંડી જેવા બનાવો બાબતે સતર્ક રહેવા અપીલ કરી છે.
દાનહ જિલ્લા નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ દ્વારા એક અખબારી યાદી બહાર પાડી દાનહના લોકોને જણાવાયું છે કે, હાલમાં દવાખાનામાં ડિલિવરી થયેલ મહિલાઓના મોબાઈલ પર ફોન આવે છે અને સરકારીદવાખાનામાંથી બોલું છું. એમ જણાવી બેંક ખાતાની વિગતો એટીએમ વિગત તથા ઓટીપી નંબર માંગીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી જવાની છેતરપીંડી કરે છે. જેથી તમામ જનતાને જણાવવાનું કે તમારી બેંક ખાતાની વિગતો, એટીએમ વિગત, ઓટીપી નંબર કે આધાર નંબર અથવા અન્‍ય કોઈ પણ વિગતો મોબાઈલ ફોન પર કોઈપણ વ્‍યક્‍તિને નહીં આપવા અપીલ કરી છે. કારણ કે, કોઈપણ સરકારી વિભાગ દ્વારા કે બેંક તરફથી મોબાઈલ ફોન ઉપર આવી વિગતો માંગવામાં આવતી નથી. તેથી જો કોઈ આવી છેતરપિંડીનો ભોગ બને તો તરત જ બેંક ખાતુ/એટીએમ બ્‍લોક કરાવી દેવું અને સાયબર ક્રાઇમ પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાવવી. ઓનલાઇન ફરિયાદ નોંધાવવા માટે ત્ર્દ્દદ્દષ્ટઃ//ણૂક્કણુફૂશ્વણૂશ્વશળફૂ.ંિંરુ.શઁ પર લોગ ઓન કરો અથવા 1930 પર કોલ કરો.

Related posts

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી ઉપર રૂા.2.16 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 73મા જન્‍મદિવસના ઉપલક્ષમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે આવાસની પ્રતીકાત્‍મક ચાવી અને આયુષ્‍માન કાર્ડનું કરાયેલું વિતરણ

vartmanpravah

મોટી દમણ ઝરી આશ્રમશાળા ખાતે યોજાયેલ 10 દિવસીય સમર કેમ્‍પની પૂર્ણાહુતિ

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

Leave a Comment