April 30, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: દાદરા નગર હવેલીના નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ દ્વારા લોકોને છેતરપિંડી જેવા બનાવો બાબતે સતર્ક રહેવા અપીલ કરી છે.
દાનહ જિલ્લા નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ દ્વારા એક અખબારી યાદી બહાર પાડી દાનહના લોકોને જણાવાયું છે કે, હાલમાં દવાખાનામાં ડિલિવરી થયેલ મહિલાઓના મોબાઈલ પર ફોન આવે છે અને સરકારીદવાખાનામાંથી બોલું છું. એમ જણાવી બેંક ખાતાની વિગતો એટીએમ વિગત તથા ઓટીપી નંબર માંગીને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી જવાની છેતરપીંડી કરે છે. જેથી તમામ જનતાને જણાવવાનું કે તમારી બેંક ખાતાની વિગતો, એટીએમ વિગત, ઓટીપી નંબર કે આધાર નંબર અથવા અન્‍ય કોઈ પણ વિગતો મોબાઈલ ફોન પર કોઈપણ વ્‍યક્‍તિને નહીં આપવા અપીલ કરી છે. કારણ કે, કોઈપણ સરકારી વિભાગ દ્વારા કે બેંક તરફથી મોબાઈલ ફોન ઉપર આવી વિગતો માંગવામાં આવતી નથી. તેથી જો કોઈ આવી છેતરપિંડીનો ભોગ બને તો તરત જ બેંક ખાતુ/એટીએમ બ્‍લોક કરાવી દેવું અને સાયબર ક્રાઇમ પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાવવી. ઓનલાઇન ફરિયાદ નોંધાવવા માટે ત્ર્દ્દદ્દષ્ટઃ//ણૂક્કણુફૂશ્વણૂશ્વશળફૂ.ંિંરુ.શઁ પર લોગ ઓન કરો અથવા 1930 પર કોલ કરો.

Related posts

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે રાનવેરી ખુર્દથી 12 જેટલા જુગારી ઝડપી પાડયાઃ એક વોન્‍ટેડ

vartmanpravah

ઉમરગામની મુલાકાતે આવેલા પ્રશાંત કારૂલકરનું અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

Leave a Comment