October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્‍ચ અધિકારીઓને લેખિત રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.13: વંકાલ ગામે તળાવમાંથી કોઈ પણ મંજુરી વિના માટીનું મોટા પાયે ખોદકામ કરવા અંગે માજી સરપંચ દ્વારા જિલ્લા કલેકટર સહિત ઉચ્‍ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી.
ચીખલી તાલુકાના વંકાલ ગામના પૂર્વ સરપંચ દીપકભાઈ ધનજીભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ, મદદનીશ, ભૂસ્‍તર શાષાી સહિતનાને કરેલ લેખિત રજૂઆતમાં જણાવાયા છે કે વંકાલ ગામે વાણિયાતળાવ વિસ્‍તારમાં બ્‍લોક નંબર 2276 વાળા તળાવમાંથી કોઈપણ જાતની મંજૂરી વિના શનિ-રવિની રજા દરમ્‍યાન મોટાપાયે માટીનું ખોદકામ કરવામાં આવેલ છે. ખાણ ખનીજ વિભાગની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે આ તળાવમાંથીમોટા પાયે માટીનું ખોદકામ કરી રોયલ્‍ટી પેટે સરકારની તિજોરીને આર્થિક નુકશાન કરવામાં આવેલ છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી દ્વારા કોઈપણ રિપોર્ટ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી કે ખાણ ખનીજમાં કરવામાં આવેલ ન હોવાનું અમોને જાણવા મળેલ છે. ત્‍યારે વાણિયા તળાવના તળાવમાંથી કોઈપણ પ્રકારની મંજૂરી વિના કોના દ્વારા માટીનું ખોદકામ કરવામાં આવ્‍યું ? અને આ માટી કયાં નાંખવામાં આવી તેની તપાસ કરી આ માટે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
વંકાલના માજી સરપંચ દિકપભાઈની તળાવમાંથી ગેરકાયદેસરની માટી ખનનની લેખિત રજૂઆતમાં તંત્ર તપાસ કરી કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ ઇંચથી વધુ નોંધાયેલો વરસાદ

vartmanpravah

વાપીમાં ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ટ્રસ્‍ટ દ્વારા વી.આઈ.એ.માં હિન્‍દી કવિ સંમેલન યોજાયું

vartmanpravah

અતુલ બિનવાડા ગામે પેટ્રોલ પમ્‍પ પાસે બે દિપડા હરતા ફરતા સીસીટીવી કેમેરામાં દેખાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગાય-ભેંસ વર્ગમાં લમ્પી વાયરસના 5 શંકાસ્પદ પૈકી 1નો રિપોર્ટ પોઝિટિવ, તંત્ર એકશનમાં- તાત્કાલિક સારવારને પગલે રિકવરી આવતા રાહત

vartmanpravah

દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામ ઍ સંઘના સ્વયંસેવકોઍ કરેલો સંગ્રામ છે અને તત્કાલિન અધિકારીઅોઍ તે માટે શક્ય તેટલી મદદ કરેલી છે

vartmanpravah

Leave a Comment